September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

વાપી ગુંજન વિસ્‍તારની વધી રહેલી ગીચતા અને ટ્રાફિકની સર્જાતી સમસ્‍યા અંતર્ગત પોલીસે કરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપીનો ચોતરફો થયેલ વિકાસ અને વધી રહેલા વાહનોની સંખ્‍યાને લઈ ગુંજન વિસ્‍તાર ટ્રાફિક સમસ્‍યાના ભરડામાં દિન-પ્રતિદિન આવી ચૂકેલો રહે છે તેથી ટ્રાફિક પોલીસે ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિકને નડતરરૂપ લારી, ગલ્લા, કેબીનો, પાથરણા હટાવવાની કામગીરી કરી હતી.
તાજેતરમાં નોટિફાઈડ બોર્ડની મળેલી મિટીંગમાં પણ ગુંજન વિસ્‍તારના અંબામાતા મંદિર રોડ આસપાસ, કોપરલી રોડ, મોરારજી સર્કલ રોડ અને ગુંજન મેઈન રોડ હાઈવે સર્વિસ રોડ ઉપરના દબાણો દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો તે અનું ટ્રાફિક પી.એસ.આઈ.પંતની આગેવાની હેઠળ ગુંજન વિસ્‍તારમાં લારી-ગલ્લા, કેબીનોને હટાવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે હાલમાં તો દબાણો જરૂર દૂર થયેલા જોવા મળે છે પણ ફરી પાછા લોકો યથાવત જાહેર રોડ ઉપર લારી-ગલ્લા ઉભા કરી દેતા હોય છે તેથી આ કામગીરી સતત અવાર નવાર થતી રહેવી જોઈએ તેમજ દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. બીજું નોટિફાઈડે માનવતાના ધોરણે એવા લોકો માટે વૈકલ્‍પિક જગ્‍યા પણ ફાળવવી જરૂરી છે. કારણ કે દબાણકર્તા સાવ સામાન્‍ય લોકો હોય છે અને તેમની હાટડીઓ જ એમનું ગુજરાન કરે છે.

Related posts

સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડના મોપેડ સવારને પારડી ખાતે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

vartmanpravah

સેલવાસના મસાટ ખાતે નિર્મિત ઓઆઈડીસીના અદ્યતન ગોડાઉનની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

Leave a Comment