June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાતા ભરતનગરમાં રહેઠાણ એરિયામાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

છેલ્લા 15 દિવસથી વાપીમાં ભંગારના ગોડાઉનોમાં
આગ લાગવાના સતત બની રહેલા બનાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી રાતા વિસ્‍તારમાં આવેલ ભરતનગરમાં આજે બુધવારે સવારે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. રહેઠાણ વિસ્‍તાર વચ્‍ચે કાર્યરત ભંગારના ગોડાઉનમાં લાગી ઉઠેલી આગથી સ્‍થાનિક રહીશોમાં વ્‍યાપક ગભરાટ પ્રસરી ગયો હતો.
વાપીમાં છેલ્લા પંદર દિવસથી કરવડ, ડુંગરી ફળીયા, ડુંગરા જેવા વિસ્‍તારોમાં રહેઠાણ વિસ્‍તારમાં બેરોકટોક ધમધમી રહેલા ભંગારના ગોડાઉનોમાંએક પછી એક એમ લગાતાર ભિષણ આગ લાગવાના બનાવો બની રહ્યા છે. તેવો વધુ એક બનાવ આજે બન્‍યો હતો. રાતા ભરતનગર વિસ્‍તારમાં અનુપ શર્મા નામના ઈસમના ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. આગના ધુવાડા રાતા ખાડી સુધી જોવા મળતા હતા. નોટીફાઈડ ફાયરની બે ગાડી ઘટના સ્‍થળે ધસી જઈને આગ બુઝાવવાની જહેમત આરંભી હતી. પોલીસે 15 જેટલા ભંગારીયા સામે ફરિયાદ નોંધાવી છે છતાં હજુ આગના બનાવો વણથંભ્‍યા ચાલી રહ્યા છે અને તે પણ મોટાભાગના ગોડાઉનો રહીશી વિસ્‍તારમાં ધમધમે છે ત્‍યારે પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

Related posts

ખોટી ભ્રામક વાતોથી છેતરાયા હોવાનો લોકોને અહેસાસ થતાં દમણ-દીવમાં આજે જો ચૂંટણી થાય તો ભાજપ પ્રચંડ બહુમતિથી વિજયી બનેઃ ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજ દ્વારા લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસીટી દાખલ કરવા પોલીસમાં રજૂઆત

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

નિરંકારી ભક્‍તો છે ઉત્‍સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં

vartmanpravah

Leave a Comment