April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર સ્‍માર્ટસીટીના લીસ્‍ટમાં છે, પરંતુ શહેરના પ્રવેશદ્વાર એવા પીપરીયા પુલની બન્ને બાજુએ ગંદકીનો માહોલ જોવા મળે છે. આ બ્રિજનો એક છેડો સેલવાસમાં અને બીજો છેડો ગુજરાતના લવાછા ગામને જોડે છે. અહીં આજુબાજુના વિસ્‍તારમાં રહેતા લોકો ખુલ્લેઆમ કચરો નાખી જાય છે જેના કારણે હંમેશા ગંદકીનો માહોલ રહે છે.
વિસ્‍તારમાં કૂડો-કચરો નાંખી ગંદકી ફેલાવનારા લોકો સામે ન.પા. દ્વારા કડક પગલાં ભરવામાં આવે એ જરૂરી છે. સેલવાસ પાલિકા દ્વારા સ્‍વચ્‍છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા માટે કચરા ગાડી દ્વારા કચરો ઉઠાવવામા આવે છે અને સ્‍વચ્‍છતા પ્રત્‍યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે જેથી પ્રદેશમાં આવતા પ્રવાસીઓને શહેરના પ્રવેશદ્વાર પાસે ગંદકી માહોલથી રાહત મળી શકે, અથવા તો સેલવાસ પાલિકા અને લવાછા પંચાયત દ્વારા સંયુક્‍ત રૂપે અહીં જે પણ કચરો નાખે તેઓને દંડ કરી સજા કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

ચીખલી વંકાલના દીપકભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂક થતાં કાર્યકરોમાં છવાયેલો આનંદ

vartmanpravah

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિની સિગ્નેચર ડ્રાઈવને સફળ પ્રતિસાદ

vartmanpravah

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

vartmanpravah

Leave a Comment