January 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

પાકિસ્‍તાની સમર્થિત હૂમલામાં દમણ-દીવના મૂળ નિવાસીઓ પણ ઘણાં ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: યુ.કે.માં ભારતીય મૂળના વસેલા લોકો જેમાં દમણ-દીવના લોકોનો પણ સમાવેશ થાય છે, તેના ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ગુરૂવાર તા.22મી સપ્‍ટેમ્‍બરના રોજ મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી મૌન રેલીનું આયોજન કરવામાંઆવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુ.કે.ના ખાસ કરીને લેસ્‍ટરમાં ઘરના આંગણામાં સાથિયો, ભગવાનના ફોટા કે હિન્‍દુ સનાતન ધર્મના જયઘોષ સાથેના દેખાતા પ્રતિકોવાળા ઘર અને વાહનોને પાકિસ્‍તાનીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ શરૂ થયેલા ધિંગાણામાં દમણ-દીવ સહિતના ઘણાં હિન્‍દુઓ ઈજાગ્રસ્‍ત પણ બન્‍યા હોવાની માહિતી સાંપડી છે. તેથી આ ઘટનાને વખોડવા અને તાત્‍કાલિક ધોરણે બંધ કરવાના એલાન સાથે ગુરૂવારે સવારે 11 વાગ્‍યે ફૂટબોલ ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી મૌન રેલી યોજી રાષ્‍ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ તથા વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્‍ટરને સુપ્રત કરવામાં આવશે. આ રેલીમાં મોટી સંખ્‍યામાં જોડાવા સર્વ સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે.

Related posts

જિલ્લા સ્‍તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્‍યા

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

Leave a Comment