March 30, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

પાકિસ્‍તાની સમર્થિત હૂમલામાં દમણ-દીવના મૂળ નિવાસીઓ પણ ઘણાં ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: યુ.કે.માં ભારતીય મૂળના વસેલા લોકો જેમાં દમણ-દીવના લોકોનો પણ સમાવેશ થાય છે, તેના ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ગુરૂવાર તા.22મી સપ્‍ટેમ્‍બરના રોજ મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી મૌન રેલીનું આયોજન કરવામાંઆવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યુ.કે.ના ખાસ કરીને લેસ્‍ટરમાં ઘરના આંગણામાં સાથિયો, ભગવાનના ફોટા કે હિન્‍દુ સનાતન ધર્મના જયઘોષ સાથેના દેખાતા પ્રતિકોવાળા ઘર અને વાહનોને પાકિસ્‍તાનીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ શરૂ થયેલા ધિંગાણામાં દમણ-દીવ સહિતના ઘણાં હિન્‍દુઓ ઈજાગ્રસ્‍ત પણ બન્‍યા હોવાની માહિતી સાંપડી છે. તેથી આ ઘટનાને વખોડવા અને તાત્‍કાલિક ધોરણે બંધ કરવાના એલાન સાથે ગુરૂવારે સવારે 11 વાગ્‍યે ફૂટબોલ ગ્રાઉન્‍ડથી મોટી દમણ કલેક્‍ટરાલય સુધી મૌન રેલી યોજી રાષ્‍ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ તથા વિદેશમંત્રી શ્રી એસ.જયશંકરને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્‍ટરને સુપ્રત કરવામાં આવશે. આ રેલીમાં મોટી સંખ્‍યામાં જોડાવા સર્વ સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે.

Related posts

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહમાંથી પસાર થતા ‘ને.હા.નં. 848-એ’ને તાત્‍કાલિક રિપેર કરાવવા કેન્‍દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને સાંસદ કલાબેન ડેલકરની રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોîધાતા રાહતનો અહેસાસ

vartmanpravah

Leave a Comment