December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર સ્‍માર્ટસીટીના લીસ્‍ટમાં છે, પરંતુ શહેરના પ્રવેશદ્વાર એવા પીપરીયા પુલની બન્ને બાજુએ ગંદકીનો માહોલ જોવા મળે છે. આ બ્રિજનો એક છેડો સેલવાસમાં અને બીજો છેડો ગુજરાતના લવાછા ગામને જોડે છે. અહીં આજુબાજુના વિસ્‍તારમાં રહેતા લોકો ખુલ્લેઆમ કચરો નાખી જાય છે જેના કારણે હંમેશા ગંદકીનો માહોલ રહે છે.
વિસ્‍તારમાં કૂડો-કચરો નાંખી ગંદકી ફેલાવનારા લોકો સામે ન.પા. દ્વારા કડક પગલાં ભરવામાં આવે એ જરૂરી છે. સેલવાસ પાલિકા દ્વારા સ્‍વચ્‍છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા માટે કચરા ગાડી દ્વારા કચરો ઉઠાવવામા આવે છે અને સ્‍વચ્‍છતા પ્રત્‍યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે જેથી પ્રદેશમાં આવતા પ્રવાસીઓને શહેરના પ્રવેશદ્વાર પાસે ગંદકી માહોલથી રાહત મળી શકે, અથવા તો સેલવાસ પાલિકા અને લવાછા પંચાયત દ્વારા સંયુક્‍ત રૂપે અહીં જે પણ કચરો નાખે તેઓને દંડ કરી સજા કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

સેલવાસ ન.પા.ના તમામ રોડના સમારકામ માટે કાઉન્‍સિલર સુમનભાઈ પટેલની સી.ઓ.ને લેખિત રજૂઆત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો.ડો. નાનુભાઈ પટેલની વરણીઃ ઠેર ઠેરથી આવકાર

vartmanpravah

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

vartmanpravah

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment