September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર સ્‍માર્ટસીટીના લીસ્‍ટમાં છે, પરંતુ શહેરના પ્રવેશદ્વાર એવા પીપરીયા પુલની બન્ને બાજુએ ગંદકીનો માહોલ જોવા મળે છે. આ બ્રિજનો એક છેડો સેલવાસમાં અને બીજો છેડો ગુજરાતના લવાછા ગામને જોડે છે. અહીં આજુબાજુના વિસ્‍તારમાં રહેતા લોકો ખુલ્લેઆમ કચરો નાખી જાય છે જેના કારણે હંમેશા ગંદકીનો માહોલ રહે છે.
વિસ્‍તારમાં કૂડો-કચરો નાંખી ગંદકી ફેલાવનારા લોકો સામે ન.પા. દ્વારા કડક પગલાં ભરવામાં આવે એ જરૂરી છે. સેલવાસ પાલિકા દ્વારા સ્‍વચ્‍છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા માટે કચરા ગાડી દ્વારા કચરો ઉઠાવવામા આવે છે અને સ્‍વચ્‍છતા પ્રત્‍યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે જેથી પ્રદેશમાં આવતા પ્રવાસીઓને શહેરના પ્રવેશદ્વાર પાસે ગંદકી માહોલથી રાહત મળી શકે, અથવા તો સેલવાસ પાલિકા અને લવાછા પંચાયત દ્વારા સંયુક્‍ત રૂપે અહીં જે પણ કચરો નાખે તેઓને દંડ કરી સજા કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

બીડીસીએ દ્વારા ક્રિકેટ સિલેકશનનું આયોજન

vartmanpravah

કપરાડામાં કૃષિ સખી અને પશુ સખી ત્રિદિવસીય તાલીમનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ઋણીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment