Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

ગૌ તસ્‍કરો બેહોશ થયેલ ગાય અને ગૌવંશની ગર્દનને નિર્દયતાપૂર્વક મરડી નીચે પાડી દોરી વડે બાંધી લઈ બીજા બે વ્‍યક્‍તિની સહાયથી પીકઅપ ટેમ્‍પોમાં ભરતા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાતા લોકોનો સાતમા આસમાને પહોંચેલો ગુસ્‍સો

દાનહમાં છાશવારે નોંધાઈ રહેલી ગૌવંશ તસ્‍કરીની ઘટનાઃ પોલીસ તંત્રએ રાત્રિનું પેટ્રોલીંગ તથા ચેકપોસ્‍ટ ઉપરની આવન-જાવન ઉપર ચાંપતું ધ્‍યાન રાખવું જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈને ફરાર થઈ જતાં શખ્‍સો સીસીટીવી કેમેરામાં ઝડપાતા સમગ્ર પંથકમાં આક્રોશ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના ખાનવેલ ખાતે પદમાવતી સોસાયટીની બહાર ગાયો અને ગૌવંશનું ટોળું બેસી રહેતું હોય છે. તેમાં કેટલાક સ્‍થાનિકનો શંકા જતાં મોડી રાત્રિ દરમિયાન સીસીટીવી ચેક કરતાં કેટલાક ગૌ તસ્‍કરો ગૌવંશને બેહોશ કરી નિર્દયતાપૂર્વક ઉઠાવી લઈ જતાં નજરે પડતાં સોસાયટીના રહીશોએ ખાનવેલ પોલીસને જાણ કરી છે.
સીસીટીવી ફૂટેજમાં 4થી વધુ શખ્‍સો પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી વગર નંબરનાપીકઅપ ટેમ્‍પોમાં આવે છે અને જ્‍યાં ગાય અને ગૌવંશનું ટોળું હતું ત્‍યાં આવી પહેલાં ગૌવંશને ખાવાનું આપી ઈન્‍જેક્‍શન મારે છે. જેના કારણે ગાય અને ગૌવંશ થોડ દૂર જઈને બેશુદ્ધ હાલતમાં ઉભી રહી જાય છે. ત્‍યારબાદ બે જેટલા ગૌ તસ્‍કરો ગાય અને ગૌવંશની ગર્દનને નિર્દયતાપૂર્વક મરડી નીચે પાડી દોરી વડે બાંધી લઈ બીજા બે વ્‍યક્‍તિની સહાયથી પીકઅપ ટેમ્‍પોમાં ભરવામાં આવે છે. આ જ રીતે ત્રણથી વધુ ગાય-ગૌવશંને લઈને ફરાર થતા જોવા મળ્‍યા હતા.
આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં દાનહ સહિત સમગ્ર પંથકના ગૌરક્ષકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્‍યો હતો. કારણ કે, દાદરા નગર હવેલીમાં છાશવારે ગૌ તસ્‍કરીની ઘટનાઓ બનતી રહે છે. જેના સંદર્ભમાં નજીકના ભૂતકાળમાં પણ એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં આવા ગૌ તસ્‍કરો સામે કોઈ કાર્યવાહી નહીં થતાં આヘર્ય ફેલાયેલું છે.
મળતી માહિતી પ્રમાણે ગૌ તસ્‍કરો મહારાષ્‍ટ્ર તરફથી આવી નરોલી, રખોલી, ખાનવેલ જેવા વિસ્‍તારમાં રખડતા ઢોરોને બેહોશીના ઈન્‍જેક્‍શન મારી ઉઠાવી જતા હોય છે. ગયા વર્ષે પણ નરોલીના હવેલી ફળિયા નજીક 6 થી વધુ ગાયોને બેહોશ કરી લઈ જવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સ્‍થાનિકોની સજાગતાથી ગૌ તસ્‍કરો ફરાર થયા હતા. બેહોશ થયેલ ગાયને સ્‍થાનિક ગૌરક્ષકોએ યોગ્‍યસારવાર આપ્‍યા બાદ ગૌશાળામાં મોકલી હતી.
ગૌ તસ્‍કરોના રેકેટને નાથવા માટે પોલીસ નાઈટ પેટ્રોલીંગની સાથે ચેકપોસ્‍ટ ઉપર આવન-જાવન કરતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવાની આવશ્‍યકતા દેખાઈ રહી છે.

Related posts

વલસાડ એન્જીનીયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલ ઇ. વી. એમ.ના સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા નમો અને જિયો એપ બાબતની તેમની અરજી સંદભેં  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષીપ્રા આગ્રેની સ્પષ્ટતા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવની અનોખી ઉજવણી: દિલ્‍હીથી 34 રાજ્‍યોમાં ક્‍વીટ ઈન્‍ડિયાની થીમ હેઠળ નિકળેલ 10 મહિલા સહિત 7પ બાઈર્સનું પારડી-વલસાડમાં ભવ્‍ય સન્‍માન કરાયું

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

વાપીની બિલખાડીમાં ફરી પ્રદૂષિત રંગીન પાણી વહેતુ થયું: જી.પી.સી.બી. દ્વારા પ્રદૂષણ નજર અંદાજ કેમ?

vartmanpravah

મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિર યોજાઈ

vartmanpravah

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

vartmanpravah

Leave a Comment