July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્‍દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન

બી.કે.યુવા મંડળે પદયાત્રા કાર્યક્રમમાં દાનહના પ્રસિદ્ધ તારપા નૃત્‍યની કરેલી સુંદર પ્રસ્‍તુતિઃ મંડળને રૂા.61,000ની ધનરાશિ, સ્‍મારક ચિન્‍હ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: ભારત સરકાર રમત-ગમત અને યુવા કાર્યક્રમ બાબતોના મંત્રાલય અંતર્ગત ‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીસગઢના જશપુર ખાતે ‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના 13 જેટલા યુવાઓએ ભાગ લીધો હતો. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 21 રાજ્‍યો અને બે સંઘપ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. દાદરા નગર હવેલીના યુવાઓ માટે આ ગર્વની ક્ષણ હતી કે તેઓ રાષ્ટ્રીય સ્‍તર પર પોતાના પ્રદેશની સંસ્‍કૃતિને પ્રસ્‍તુત કરી શક્‍યા.
આ અવસરે નેહરૂ યુવા કેન્‍દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના યુવાઓએ તારપા નૃત્‍યની સુંદર પ્રસ્‍તુતિ કરીને ઉપસ્‍થિત સૌનુ મન મોહી લીધું હતું. શાનદાર પ્રદર્શન માટે નેહરૂ યુવા કેન્‍દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના સભ્‍યોને રૂા.61,000ની ધનરાશિ,સ્‍મારક ચિન્‍હ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ સિદ્ધિ બદલ શ્રીમતી મનસા અને નેહરૂ યુવા કેન્‍દ્ર, સેલવાસના બી.કે.યુવા મંડળના તમામ સભ્‍યોએ જિલ્લા કલેક્‍ટરશ્રીને મળીને એમની ઉપલબ્‍ધિ અંગે જાણકારી આપી હતી. બી.કે.યુવા મંડળની સફળતા પાછળ નહેરુ યુવા કેન્‍દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી મનસાના નિર્દેશન અને માર્ગદર્શનની મુખ્‍ય ભૂમિકા રહી હતી. જેઓની પ્રેરણાથી બી.કે.મંડળે આ ઉપલબ્‍ધિ હાંસલ કરી છે.

Related posts

વાપી નવા ગરનાળા પાસે રૂા.1.11 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

ચોમાસામાં અવાર નવાર ડૂબાઉ કોઝ-વેથી સંર્પક વિહોણા થતાં ચીખલીના સતાડી ગામના પીપળા ફળિયાના લોકોની નવો પુલ બનાવવા ઉઠેલી માંગ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ વોલીબોલ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્‍ધ યોજેલા ધરણા પ્રદર્શન

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

Leave a Comment