Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈ જતા ગૌ તસ્‍કરો સીસીટીવી કેમેરામાં ઝડપાતા પંથકમાં આક્રોશ

ગૌ તસ્‍કરો બેહોશ થયેલ ગાય અને ગૌવંશની ગર્દનને નિર્દયતાપૂર્વક મરડી નીચે પાડી દોરી વડે બાંધી લઈ બીજા બે વ્‍યક્‍તિની સહાયથી પીકઅપ ટેમ્‍પોમાં ભરતા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાતા લોકોનો સાતમા આસમાને પહોંચેલો ગુસ્‍સો

દાનહમાં છાશવારે નોંધાઈ રહેલી ગૌવંશ તસ્‍કરીની ઘટનાઃ પોલીસ તંત્રએ રાત્રિનું પેટ્રોલીંગ તથા ચેકપોસ્‍ટ ઉપરની આવન-જાવન ઉપર ચાંપતું ધ્‍યાન રાખવું જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના ખાનવેલ ખાતે ગૌવંશને બેહોશ કરી પિકઅપ ટેમ્‍પોમાં લઈને ફરાર થઈ જતાં શખ્‍સો સીસીટીવી કેમેરામાં ઝડપાતા સમગ્ર પંથકમાં આક્રોશ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના ખાનવેલ ખાતે પદમાવતી સોસાયટીની બહાર ગાયો અને ગૌવંશનું ટોળું બેસી રહેતું હોય છે. તેમાં કેટલાક સ્‍થાનિકનો શંકા જતાં મોડી રાત્રિ દરમિયાન સીસીટીવી ચેક કરતાં કેટલાક ગૌ તસ્‍કરો ગૌવંશને બેહોશ કરી નિર્દયતાપૂર્વક ઉઠાવી લઈ જતાં નજરે પડતાં સોસાયટીના રહીશોએ ખાનવેલ પોલીસને જાણ કરી છે.
સીસીટીવી ફૂટેજમાં 4થી વધુ શખ્‍સો પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધી વગર નંબરનાપીકઅપ ટેમ્‍પોમાં આવે છે અને જ્‍યાં ગાય અને ગૌવંશનું ટોળું હતું ત્‍યાં આવી પહેલાં ગૌવંશને ખાવાનું આપી ઈન્‍જેક્‍શન મારે છે. જેના કારણે ગાય અને ગૌવંશ થોડ દૂર જઈને બેશુદ્ધ હાલતમાં ઉભી રહી જાય છે. ત્‍યારબાદ બે જેટલા ગૌ તસ્‍કરો ગાય અને ગૌવંશની ગર્દનને નિર્દયતાપૂર્વક મરડી નીચે પાડી દોરી વડે બાંધી લઈ બીજા બે વ્‍યક્‍તિની સહાયથી પીકઅપ ટેમ્‍પોમાં ભરવામાં આવે છે. આ જ રીતે ત્રણથી વધુ ગાય-ગૌવશંને લઈને ફરાર થતા જોવા મળ્‍યા હતા.
આ સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં દાનહ સહિત સમગ્ર પંથકના ગૌરક્ષકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્‍યો હતો. કારણ કે, દાદરા નગર હવેલીમાં છાશવારે ગૌ તસ્‍કરીની ઘટનાઓ બનતી રહે છે. જેના સંદર્ભમાં નજીકના ભૂતકાળમાં પણ એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં આવા ગૌ તસ્‍કરો સામે કોઈ કાર્યવાહી નહીં થતાં આヘર્ય ફેલાયેલું છે.
મળતી માહિતી પ્રમાણે ગૌ તસ્‍કરો મહારાષ્‍ટ્ર તરફથી આવી નરોલી, રખોલી, ખાનવેલ જેવા વિસ્‍તારમાં રખડતા ઢોરોને બેહોશીના ઈન્‍જેક્‍શન મારી ઉઠાવી જતા હોય છે. ગયા વર્ષે પણ નરોલીના હવેલી ફળિયા નજીક 6 થી વધુ ગાયોને બેહોશ કરી લઈ જવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સ્‍થાનિકોની સજાગતાથી ગૌ તસ્‍કરો ફરાર થયા હતા. બેહોશ થયેલ ગાયને સ્‍થાનિક ગૌરક્ષકોએ યોગ્‍યસારવાર આપ્‍યા બાદ ગૌશાળામાં મોકલી હતી.
ગૌ તસ્‍કરોના રેકેટને નાથવા માટે પોલીસ નાઈટ પેટ્રોલીંગની સાથે ચેકપોસ્‍ટ ઉપર આવન-જાવન કરતા વાહનોનું પણ સઘન ચેકિંગ કરવાની આવશ્‍યકતા દેખાઈ રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

પાલીધૂંયા વન વિભાગની જમીનમાં ચાલેલું માટી ચોરીનું રેકેટ

vartmanpravah

સાદકપોરમાં રસ્‍તો ક્રોસ કરી રહેલ વૃધ્‍ધને કાર ચાલકે અડફેટે લેતા મોત

vartmanpravah

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

vartmanpravah

આજનો દિવસ દાનહના મતદારો માટે મનોમંથન અનેઆત્‍મપરિક્ષણનો દિવસ

vartmanpravah

સાબરકાંઠાઃ ઈડરના તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલનો એક તરફી પ્રેમ પ્રકરણનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ નિર્દોષ મહિલાકર્મીની ક્ષોભજનક સ્‍થિતિ

vartmanpravah

Leave a Comment