April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

મુખ્‍ય આકર્ષણ : 1.80 કિ.મી. લંબાઈ, 16 મીટર પહોળાઈ, ત્રણ શહેરોની કનેક્‍ટીવીટી, ચાર સ્‍થળોએ ફોટીયા વાળા સ્‍લીપ રોડ બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: જેના માટે વાપી શહેરે સંઘર્ષનો પ્રારંભ કરી દીધો છે તેવો મહત્‍વાકાંક્ષી રેલવે ફલાય ઓવરબ્રિજની થ્રીડી વ્‍યુ આવી ચૂકી છે. કાલ્‍પનિક થ્રીડી વ્‍યુ ભવિષ્‍યના નિર્માણ થનાર બ્રિજની પરિકલ્‍પના વ્‍યુજમાં પ્રસ્‍તુત કરાયો છે.
વાપી પૂર્વ-પશ્ચિમ ને જોડતો હાર્ટ લાઈન રોડ એટલે રેલવે ફલાય ઓવરબ્રિજ. હયાત બ્રિજ ધ્‍વંશ થઈ રહ્યો છે પરંતુ ભવિષ્‍યનો બ્રિજ કેવો હશે? અને શું શું ઉપયોગીતા પુરવાર કરશે તેનો થ્રીડી વ્‍યુજ રજૂ થઈ ચૂક્‍યો છે. નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અથાગ પ્રયત્‍નો થકી સાકાર થનાર ફયુચર બ્રિજ 140 કરોડના ખર્ચે તૈયાર થશે. 1.80 કિલોમીટર લાંબો અને 16 મીટર પહોળો હશે. ચાર સ્‍થળોએ ફાંટીયા સ્‍લીપ રોડ હશે તેમાં સરકીટ હાઉસ આગળ, ગોલ્‍ડ કોઈન સર્કલ-વાત્‍સલ્‍ય સ્‍કૂલ જી.એસ.ટી. ભવનથી છરવાડા રોડ ક્રોસિંગ જેવા ચાર ફાંટીયાઓથી પુલ ઉપર ચઢી શકાશે, ઉતરી શકાશે. આ ફયુચર પુલથી વાપી-સેલવાસ અને દમણ શહેરોની કનેક્‍ટીવીટી વધશે. હાઈવેની પણ કનેક્‍ટીવીટી વધશે તેમજ પુલ ઉપર દરરોજ 10 હજાર જેટલા વાહનોની અવરજવર સુગમ બનશે. આગામી સમયે આ ફયુચર બ્રિજ વાપી શહેરની સકલ અને સુરત બદલવા સક્ષમ હશે. ફસ્‍ટ હાલ બે-એક વર્ષ થોડી મુસિબતો અને સંઘર્ષ વેઠવો પડશે. પછી સુખ જ પરમ સુખ જ હશે!

Related posts

ચીખલીના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્‍તો બન્‍યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્‍ધનો જીવ ક્ષણોમાં બચ્‍યો

vartmanpravah

સેલવાસની ગુમ થયેલી દમણ નર્સિંગ કોલેજની પ્રિન્‍સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્‍યા : કોલેજના એકાઉન્‍ટન્‍ટ સાવન પટેલની ધરપકડ

vartmanpravah

દમણવાડા પંચાયતનો નવતર અભિગમઃ ટ્રેક્‍ટરની ટ્રોલીમાં પંચાયત કાર્યાલય બનાવી પ્રત્‍યેક વોર્ડમાં પહોંચી ગ્રામજનોને ઘરઆંગણે આપવામાં આવેલા વિવિધ સર્ટીફિકેટો

vartmanpravah

ચીખલીનાં મજીગામમાં રાત્રીના દીપડો દેખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

Leave a Comment