Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાએ નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવડિયા અંતર્ગત પ્રારંભ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: ઉમરગામ પાલિકાએ હાઉસિંગ અને નિર્મળ ગુજરાત વિભાગ દ્વારા જારી કરેલા આદેશ મુજબ ગુજરાત સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત કરવામાં આવનારી કામગીરીનો પાલિકાના ચીફ ઓફિસર શ્રી અતુલ સિંહ અને પ્રમુખશ્રી મનીષભાઈ રાય તેમજ કારોબારી અધ્‍યક્ષશ્રી અંકુશભાઈ કામળીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ પાલિકાના સ્‍ટાફ અને કર્મચારીઓએ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. આજરોજ ઉમરગામ પાલિકાના કારોબારી અધ્‍યક્ષશ્રી અંકુશભાઈ કામડી અને પાલિકાના એન્‍જિનિયરશ્રી સુભમભાઈ નાયક તેમજ પાલિકાના સ્‍ટાફની ઉપસ્‍થિતિ સાથે કામરવાડ તળાવ તેમજ કોસ્‍ટલ હાઈવે નજીકના ડમ્‍પિંગ સાઈડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત પાલિકાના વિવિધ સ્‍થળોએ સાફ સફાઈની કામગીરીનો પણ પ્રારંભ કરી દીધો છે.પાલિકાના કારોબારી અધ્‍યક્ષશ્રી અંકુશભાઈ કામળી અને એમની ટીમ દ્વારા નજીકના ભૂતકાળમાં સાફ-સફાઈ અને સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ઘણા કામ કરેલા છે જે જોતા હાલમાં નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત ચાલનારી સતત 15 દિવસ સુધીની કામગીરીમાં અસરકારક પરિણામ લાવવા માટે પૂરેપૂરું ધ્‍યાન આપી મોનિટરિંગ કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, નિર્મળ ગુજરાત પખવાડિયા અંતર્ગત 14 જેટલા સ્‍થળોએ સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણની કામગીરી કરવાની છે. પાલિકા દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત કરવામાં આવનારી પખવાડિયાની દૈનિક કામગીરીની સમીક્ષા અને યાદી તૈયાર કરવા માટે નોડલ ઓફિસર તરીકે આર સી એમ કચેરી સુરતથી શ્રીમતી ઉર્વશીબેન લાડની ઉપસ્‍થિતિ જોવા મળી રહી છે.

Related posts

કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રી સી.આર.પાટીલના અધ્‍યક્ષસ્‍થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં જયેષ્ઠ નાગરિક મંડળની વાર્ષિક સભા યોજાઈ: 75 વર્ષથી વધુ વયના પેન્‍શનર્સનું સન્‍માન કરાયુ

vartmanpravah

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

Leave a Comment