(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: પ્રત્યેક વ્યક્તિને તંદુરસ્ત આબોહવા અને સુરક્ષિત વાતાવરણમાં જીવવાનો અધિકાર છે. આ અધિકાર ભાવિ પેઢીને આપવા માટે પ્રયત્નશીલ બની તારીખ 5 જૂનના દિવસે આર.કે.દેસાઈ ગૃપ ઑફ કોલેજીસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમમાં ચેરમેન શ્રી મિલન દેસાઈ પ્રિ.ડૉ.પ્રીતિ ચૌહાણ, પ્રિ.ડૉ.મિત્તલ શાહ, પ્રિ.ડૉ.શીતલ ગાંધી તથા પ્રાધ્યાપકો અને બી.એડ. જી.એસ ડેનિયલ પટેલ તથા એલઆર સોનાલી ટંડેલઅને દીક્ષિતા ટંડેલ તથા પર્યાવરણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આજના દિન વિશેષે કોલેજ કેમ્પસમાં ગુલાબ, તુલસી, મોગરાના છોડો તથા 100 ચંપાના છોડ રોપવામાં આવ્યા હતા. આ માટે ગાર્ડન કન્સલ્ટન્ટ આશાબેન પ્રજાપતિનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમનું આયોજન પ્રા.પૂજાબેન સિધ્ધપુરા દ્વારા થયું હતું.