October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાએ નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવડિયા અંતર્ગત પ્રારંભ કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: ઉમરગામ પાલિકાએ હાઉસિંગ અને નિર્મળ ગુજરાત વિભાગ દ્વારા જારી કરેલા આદેશ મુજબ ગુજરાત સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત કરવામાં આવનારી કામગીરીનો પાલિકાના ચીફ ઓફિસર શ્રી અતુલ સિંહ અને પ્રમુખશ્રી મનીષભાઈ રાય તેમજ કારોબારી અધ્‍યક્ષશ્રી અંકુશભાઈ કામળીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ પાલિકાના સ્‍ટાફ અને કર્મચારીઓએ કામગીરીનો પ્રારંભ કરી દીધો છે. આજરોજ ઉમરગામ પાલિકાના કારોબારી અધ્‍યક્ષશ્રી અંકુશભાઈ કામડી અને પાલિકાના એન્‍જિનિયરશ્રી સુભમભાઈ નાયક તેમજ પાલિકાના સ્‍ટાફની ઉપસ્‍થિતિ સાથે કામરવાડ તળાવ તેમજ કોસ્‍ટલ હાઈવે નજીકના ડમ્‍પિંગ સાઈડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત પાલિકાના વિવિધ સ્‍થળોએ સાફ સફાઈની કામગીરીનો પણ પ્રારંભ કરી દીધો છે.પાલિકાના કારોબારી અધ્‍યક્ષશ્રી અંકુશભાઈ કામળી અને એમની ટીમ દ્વારા નજીકના ભૂતકાળમાં સાફ-સફાઈ અને સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ઘણા કામ કરેલા છે જે જોતા હાલમાં નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત ચાલનારી સતત 15 દિવસ સુધીની કામગીરીમાં અસરકારક પરિણામ લાવવા માટે પૂરેપૂરું ધ્‍યાન આપી મોનિટરિંગ કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, નિર્મળ ગુજરાત પખવાડિયા અંતર્ગત 14 જેટલા સ્‍થળોએ સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણની કામગીરી કરવાની છે. પાલિકા દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત કરવામાં આવનારી પખવાડિયાની દૈનિક કામગીરીની સમીક્ષા અને યાદી તૈયાર કરવા માટે નોડલ ઓફિસર તરીકે આર સી એમ કચેરી સુરતથી શ્રીમતી ઉર્વશીબેન લાડની ઉપસ્‍થિતિ જોવા મળી રહી છે.

Related posts

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment