Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
સેલવાસની ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમા વિજ્ઞાન સપ્તાહનો શુભારંભ કલેકટરના હસ્‍તે કરવામા આવ્‍યો હતો. આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત વિજ્ઞાન પ્રસાર ડિપાર્ટમેન્‍ટ સાયન્‍સ અને ટેક્રોલોજી ભારત સરકારના નિર્દેશ અનુસાર કોલેજમા 22ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી વિજ્ઞાન સપ્તાહનું આયોજન કરવામા આવેલ છે.
જેનું ઉદઘાટન કલેકટર ડો.રાકેશ મિન્‍હાસના હસ્‍તે રીબીન કાપી કરવામા આવ્‍યો હતો. આ સપ્તાહ દરમ્‍યાન સાયન્‍સ ફિલ્‍મનુ પ્રદર્શન, સાયન્‍સ પોસ્‍ટર અને પુસ્‍તક પ્રદર્શન જેમા 75 વૈજ્ઞાનિકના જીવન અને મુખ્‍ય આવિષ્‍કાર યોગદાન દર્શાવવામા આવેલ છે.
વિજ્ઞાન સબંધિત નાટક, સ્‍કીટ કવિતા પેન્‍ટીંગ કવીઝ પોસ્‍ટર મેકિંગનું પણ આયોજન કરવામા આવેલ છે આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક વ્‍યાખ્‍યાન યોજાનાર છે જેના માટે મુંબઈ અને અમદાવાદ દમણ વલસાડથી આવશે.વિજ્ઞાન સપ્તાહનો મુખ્‍ય ઉદેશ્‍ય દરેક વિદ્યાર્થીઓ સુધી વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવામા આવે દેશના વૈજ્ઞાનિકો અને એમના ગૌરવમય ઉપલબ્‍ધી જાણે અને પ્રેરણા મેળવે છે.
આ અવસરે કલેકટર ડો.રાકેશ મિન્‍હાસ,કોલેજના પ્રિન્‍સિપાલ ભગવાનજી ઝા, કોલેજના પ્રોફેસર વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્‍તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા

vartmanpravah

vartmanpravah

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

Leave a Comment