March 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

< કોવિડ-૧૯ના પ્રોટોકોલ અને અગમચેતી સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સર્જાયેલું ઉત્સવનું વાતાવરણ < ગણેશ ઉત્સવ દરમિયાન વધુમાં વધુ ઍક લાઈનમાં ૧૫ ભક્તોની મર્યાદા સાથે પ્રાર્થના, આરતી અને પ્રસાદ માટે પણ આપેલી અનુમતિ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૩
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવ માટે પરવાનગી આપતા પ્રદેશના ગણેશ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ગણેશ મહોત્સવના સ્થાને પ્રાર્થના, આરતી અને પ્રસાદના વિતરણ માટે પણ અનુમતિ આપવામાં આવી છે. વિઘન્હર્તા દેવે ગણપતિ મહોત્સવની ઉજવણીમાં આવી રહેલ વિઘન્ને ટાળતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ગણેશ મંડળો પણ હર્ષની લાગણી વ્યક્ત કરી રહ્ના છે અને સંઘપ્રદેશ પ્રશાસને આપેલી મંજૂરી બદલ તેમનો પણ આભાર પ્રગટ કરી રહ્ના છે.
પ્રા માહિતી પ્રમાણે સંઘપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવે જારી કરેલ આદેશ મુજબ કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં લઈ જરૂરી અગમચેતી સાથે જાહેર જગ્યામાં ૪ ફૂટ સુધીની અને ઘરમાં બે ફૂટ સુધીની ઊંચી ગણેશ પ્રતિમા માટે મંજૂરી આપવામાં આવી છે. ગણેશોત્સવની કોઈપણ ઉજવણી સમયે વધુમાં વધુ ૧૫ ભાવિક ભક્તોઍ ઍક લાઈનમાં રહી બે ફૂટનું અંતર દર્શનના સમયે જાળવવાનું રહેશે.
ગણેશ ઉત્સવ પંડાલમાં બેઠક અને શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. તેથી આ વખતે કેટલાક ગણેશ પંડાલોમાં રમાડવામાં આવતા જુગાર ઉપર પણ આડકતરી રીતે પ્રતિબંધ લાગશે.
ગણેશ વિસર્જન સમયે જેઅો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થયા હશે તેવા પાંચ વ્યક્તિઅોને જ પાણી મૂર્તિ લઈ જવા પરવાનગી આપવામાં આવી છે.
ગયા વર્ષે કોવિડ-૧૯ના નીતિ-નિયમોના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગણપતિ મહોત્સવના જાહેર કાર્યક્રમ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ વર્ષે આપવામાં આવેલ કેટલીક મર્યાદિત છૂટછાટોના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉત્સવનું વાતાવરણ જામી રહ્નાં છે.

Related posts

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

vartmanpravah

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

પ્રદેશ ભાજપ સચિવ અને જિ.પં. સભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે દાભેલ અને ભીમપોરની સ્‍વયં સહાયતા જૂથની બહેનો માટે મહેંદી સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

Leave a Comment