(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) લક્ષદ્વીપ, તા.22
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજરોજ લક્ષદ્વીપના રાજ નિવાસની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલા બાંધકામ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે અધિકારીઓને આ અંગે યોગ્ય દિશાનિર્દેશો આપ્યા હતા.