April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગેરકાયદેર ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીઓના પગારમાંથી એક દિવસનો પગાર મરજી વિરુદ્ધ કાપવામાં આવતો હોવાની રાવઃ તમામ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીના દાદરા સ્‍થિત સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને કંપની બહાર હડતાલ પર ઉતર્યા છે.
હડતાલ ઉપર ઉતરેલા કંપનીના કામદારો, કર્મચારીઓના જણાવ્‍યા પ્રમાણે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પગારમાં વધારો થવો આવશ્‍યક છે. પગાર દર મહિને 10 તારીખ સુધીમાં થઈ જવો જોઈએ, જે કર્મચારીઓ ઘણાં વર્ષોથી કામ કરતા હોય તેઓનો દર વર્ષે કંપની દ્વારા પગાર વધારવામાં આવે, સાથે હાઉસકિપિંગ કર્મચારીઓનો પણ પગાર વધારવામાં આવે. દરેક કર્મચારીને સાર્વજનિક અવકાશના દિવસે વેતન ભરીને આપવામાં આવે, દર મહિનાની ચાર અઠવાડિક રજા પણ ભરી આપવામાં આવે, પેમેન્‍ટ ઓફ બોનસ એક્‍ટ 1965 મુજબ દર વર્ષે તમામ કર્મચારીઓને આપવામાં આવે, કોન્‍ટ્રાક્‍ટમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઆપવામાં આવે છે એને બંધ થવું જોઈએ, કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીના પગારમાંથી એક દિવસનો પગાર અમારી મરજી વિરુદ્ધ કાપી લેવામાં છે જે ગેરકાયદેસર છે તેને બંધ કરવો, કર્મચારીઓનું પ્રોવિડન્‍ટ ફંડ(પી.એફ.) કાપવામાં આવે છે પરંતુ જ્‍યારે તે અંગે પૂછપરછ કરવામાં આવે ત્‍યારે યોગ્‍ય જવાબ આપવામાં આવતો નથી, જેથી દર મહિને પગાર સ્‍લીપ કર્મચારીઓને આપવામાં આવે અને કંપનીમાં કોઈપણ નિયમ લાગુ કરવા પહેલાં કર્મચારીઓને એક અઠવાડિયા પહેલા જાણ કરવામાં આવે.
કંપનીના કર્મચારીઓ-કામદારોના જણાવ્‍યા પ્રમાણે કંપની સંચાલકો દ્વારા જ્‍યાં સુધી અમારી માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્‍યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.

Related posts

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનીયર સીટીઝન ગ્રુપનો 13મા વર્ષમાં મંગળ પ્રવેશ: વાર્ષિક સામાન્ય સભા યોજાઈઃ પ્રમુખ તરીકે રમેશભાઈ સોજીત્રાની નિમણૂક કરાઈ

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

વાંસદા વનવિદ્યાલય હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીનું વરસાદમાં ઘર તૂટી પડતા સ્‍કૂલ પરિવાર મદદે દોડયો

vartmanpravah

Leave a Comment