October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગેરકાયદેર ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીઓના પગારમાંથી એક દિવસનો પગાર મરજી વિરુદ્ધ કાપવામાં આવતો હોવાની રાવઃ તમામ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્‍યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીના દાદરા સ્‍થિત સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને કંપની બહાર હડતાલ પર ઉતર્યા છે.
હડતાલ ઉપર ઉતરેલા કંપનીના કામદારો, કર્મચારીઓના જણાવ્‍યા પ્રમાણે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પગારમાં વધારો થવો આવશ્‍યક છે. પગાર દર મહિને 10 તારીખ સુધીમાં થઈ જવો જોઈએ, જે કર્મચારીઓ ઘણાં વર્ષોથી કામ કરતા હોય તેઓનો દર વર્ષે કંપની દ્વારા પગાર વધારવામાં આવે, સાથે હાઉસકિપિંગ કર્મચારીઓનો પણ પગાર વધારવામાં આવે. દરેક કર્મચારીને સાર્વજનિક અવકાશના દિવસે વેતન ભરીને આપવામાં આવે, દર મહિનાની ચાર અઠવાડિક રજા પણ ભરી આપવામાં આવે, પેમેન્‍ટ ઓફ બોનસ એક્‍ટ 1965 મુજબ દર વર્ષે તમામ કર્મચારીઓને આપવામાં આવે, કોન્‍ટ્રાક્‍ટમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઆપવામાં આવે છે એને બંધ થવું જોઈએ, કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગણેશ ચતુર્થીના સમયે કર્મચારીના પગારમાંથી એક દિવસનો પગાર અમારી મરજી વિરુદ્ધ કાપી લેવામાં છે જે ગેરકાયદેસર છે તેને બંધ કરવો, કર્મચારીઓનું પ્રોવિડન્‍ટ ફંડ(પી.એફ.) કાપવામાં આવે છે પરંતુ જ્‍યારે તે અંગે પૂછપરછ કરવામાં આવે ત્‍યારે યોગ્‍ય જવાબ આપવામાં આવતો નથી, જેથી દર મહિને પગાર સ્‍લીપ કર્મચારીઓને આપવામાં આવે અને કંપનીમાં કોઈપણ નિયમ લાગુ કરવા પહેલાં કર્મચારીઓને એક અઠવાડિયા પહેલા જાણ કરવામાં આવે.
કંપનીના કર્મચારીઓ-કામદારોના જણાવ્‍યા પ્રમાણે કંપની સંચાલકો દ્વારા જ્‍યાં સુધી અમારી માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્‍યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.

Related posts

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

વલસાડ એમ.આર. એસોસિએશને પડતર માંગણી અંગે લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યુ

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment