October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહની કંપનીઓ દ્વારા મેઘવાળની ખાનગી જગ્‍યામાં કેમિકલવાળો દુર્ગંધયુક્‍ત કચરો ઠાલવી દેતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીની વચ્‍ચોવચ્‍ચ આવેલ કપરાડા તાલુકાના મેઘવાળ ગામમાં ખાનગી જગ્‍યામાં રખોલી અને મસાટ ગામની કંપનીઓ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ખુલ્લેઆમ કેમિકલવાળો ઘન કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. જેને બંધ કરાવવા માટે ગામના લોકોએ ગ્રામ પંચાયતમાં વારંવાર લેખિત ફરિયાદો કરવામાં આવેલ છે અને પંચાયત દ્વારા પણ જમીન માલિકને નોટિસ પણ આપવામાં આવેલ હોવા છતાં પણ થોડા રૂપિયાના માટે આ જમીન માલિક દ્વારા કંપનીઓનો કેમિકલવાળો ઘન કચરો ઠાલવવા નોતરૂ આપી રહ્યા છે. જેનો ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ સંદર્ભે કપરાડા તાલુકાના ધારાસભ્‍ય અને ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી તેથી શ્રી જીતુભાઈ ચૌધરીએ વાપી જીપીસીપીના અધિકારીઓને ટેલિફોનિકજાણ કરતા એમની ટીમ મેઘવાળ ગામે પહોંચીને જે ઘન કચરો ઠાલવવામાં આવેલ એના સેમ્‍પલો લઈ જવાયા હતા. પરંતુ ગામવાળાની એક જ માંગ છે કે આ જે કંપનીઓના કેમિકલવાળા કચરો કાયમ માટે બંધ થાય એ જરૂરી છે.
સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર જે જગ્‍યા પર આ કચરો નાખવામાં આવી રહ્યો છે એની બાજુમાં જ સરકારી શાળા આવેલી છે અને એમાં મોટી સંખ્‍યામાં બાળકો ભણવા આવે છે જેઓના આરોગ્‍ય માટે પણ મોટી ખતરો તોળાઈ રહ્યો છે. આ કેમિકલવાળા દુર્ગંધયુક્‍ત ઘન કચરાના કારણે ગામના પીવાના પાણીનાસ્ત્રોત એવા બોરિંગના પાણી પણ દૂષિત બની ગયા છે. જેથી આ ગામમાં સેલવાસ અને આજુબાજુના ગામની કંપનીઓ દ્વારા ઠાલવવામાં આવી રહેલા કેમિકલવાળા ઘન કચરાની પ્રવૃત્તિ કાયમ માટે બંધ કરવામાં આવે એવી ગામલોકોની ઉગ્ર માંગ છે.

Related posts

ઉમરગામ તાલુકાની શાળાઓની સ્‍કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્‍કોલરશીપ

vartmanpravah

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

vartmanpravah

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

Leave a Comment