September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ૯મી ફેબ્રુ.ઍ લોકાર્પણ કરવાના હતા પણ અચાનક તા.૧૨ ફેબ્રુ.ની જાહેરાત થતાં લોકો રોષે ભરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ધરમપુર શહેરમાં અવર જવર માટે હાર્ટલાઈન ગણાતા સ્‍વર્ગવાહીની નદીનો નવિન પુલ બનાવવામાં આવ્‍યો છે. જેનુ આજે ગુરૂવારે લોકાર્પણ કરવાનો હતો પરંતુ અચાનક કાર્યક્રમમાં ફેરફાર આવ્‍યો. લોકાર્પણ તા.12 ફેબ્રુઆરીએ લંબાતા લોકોમાં ભારે રોષ વ્‍યાપી જતા સ્‍વયંભુ જ નારિયેળ ફોડી અગરબત્તિ સળગાવી પુલનું જાતે જ લોકાર્પણ કરી બિંદાસ્‍ત અવર જવર શરૂ કરી દીધી હતી.
ધરમપુરના સમડીચોકથી હાથીખાના વચ્‍ચે વહેલી સ્‍વર્ગવાહિની નદી ઉપર નવિન પુલ બનાવાયો છે. પુલની કામગીરી દોઢથી બે વર્ષ સુધી ચાલતી રહેલી તેથી લોકો મોટા ચકરાવા મારી ધરમપુરમાં અવર જવર કરતા હતા. અંતે પુલ તૈયાર થતા લોકોમાં આનંદ ફેલાયો હતો. લોકાર્પણની તા.09 ફેબ્રુઆરીની જાહેરાત સાથે લોકાર્પણ માટેના કાર્યક્રમ અંગે મંડપ વિગેરે પણ બંધાઈ ગયા હતા. ત્‍યાં જ બિલાડું આડે ઉતર્યું અને પુલ લોકાર્પણની તારીખ ફેરફાર કરાઈ. લોકાર્પણ તા.12 ફેબ્રુઆરીએ અચાનક ઠેલાઈ જતા લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવીને જનમેદની નવા પુલ ઉપર ઉમટી પડેલી અને નારિયેળ ફોડી અગરબત્તી કરી લોકોએજાતે જ પુલનું લોકાર્પણ કરી ખુલ્લો મુકી દીધો હતો. ભાજપના નેતાઓની નામ કમાવવાની હોડનો પ્રજાએ છેદ ઉડાવી જાતે જ પુલનું લોકાર્પણ કરી દીધું હતું.

Related posts

116 વખત બ્‍લડ ડોનેટ કરતા પારડીના સમાજ સેવક સંજય બારિયા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

વલસાડમાં નવરાત્રી મહોત્‍સવના ડુપ્‍લીકેટ પાસનું કૌભાંડ ઝડપાયું : આયોજકોને આર્થિક નુકશાન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

‘‘બુઝૂર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ” સૂત્ર સાથે રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબીરનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

Leave a Comment