February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ૯મી ફેબ્રુ.ઍ લોકાર્પણ કરવાના હતા પણ અચાનક તા.૧૨ ફેબ્રુ.ની જાહેરાત થતાં લોકો રોષે ભરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ધરમપુર શહેરમાં અવર જવર માટે હાર્ટલાઈન ગણાતા સ્‍વર્ગવાહીની નદીનો નવિન પુલ બનાવવામાં આવ્‍યો છે. જેનુ આજે ગુરૂવારે લોકાર્પણ કરવાનો હતો પરંતુ અચાનક કાર્યક્રમમાં ફેરફાર આવ્‍યો. લોકાર્પણ તા.12 ફેબ્રુઆરીએ લંબાતા લોકોમાં ભારે રોષ વ્‍યાપી જતા સ્‍વયંભુ જ નારિયેળ ફોડી અગરબત્તિ સળગાવી પુલનું જાતે જ લોકાર્પણ કરી બિંદાસ્‍ત અવર જવર શરૂ કરી દીધી હતી.
ધરમપુરના સમડીચોકથી હાથીખાના વચ્‍ચે વહેલી સ્‍વર્ગવાહિની નદી ઉપર નવિન પુલ બનાવાયો છે. પુલની કામગીરી દોઢથી બે વર્ષ સુધી ચાલતી રહેલી તેથી લોકો મોટા ચકરાવા મારી ધરમપુરમાં અવર જવર કરતા હતા. અંતે પુલ તૈયાર થતા લોકોમાં આનંદ ફેલાયો હતો. લોકાર્પણની તા.09 ફેબ્રુઆરીની જાહેરાત સાથે લોકાર્પણ માટેના કાર્યક્રમ અંગે મંડપ વિગેરે પણ બંધાઈ ગયા હતા. ત્‍યાં જ બિલાડું આડે ઉતર્યું અને પુલ લોકાર્પણની તારીખ ફેરફાર કરાઈ. લોકાર્પણ તા.12 ફેબ્રુઆરીએ અચાનક ઠેલાઈ જતા લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવીને જનમેદની નવા પુલ ઉપર ઉમટી પડેલી અને નારિયેળ ફોડી અગરબત્તી કરી લોકોએજાતે જ પુલનું લોકાર્પણ કરી ખુલ્લો મુકી દીધો હતો. ભાજપના નેતાઓની નામ કમાવવાની હોડનો પ્રજાએ છેદ ઉડાવી જાતે જ પુલનું લોકાર્પણ કરી દીધું હતું.

Related posts

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પરેડ યોજાઈ

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

Leave a Comment