March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી ઘટના સોશિયલ મીડિયામાં
વાયરલ થતા ચકચાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: બહારનું ફૂડ ખાતા હો તો સત્તરવાર વિચાર કરજો કારણ કે કંઈક તેવી જ ઘટના વલસાડના અબ્રામા વિસ્‍તારમાં કાર્યરત આધુનિક કોફી કલ્‍ચર કાફેમાં બુધવારે રાત્રે ગ્રાહકને પિરસવામાં આવેલ સિઝલરમાંથી વંદો નિકળ્‍યો હતો. ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
અબ્રામા સ્‍થિત કોફી કલ્‍ચર કાફેમાં એક ગ્રાહકે સિઝલરનો ઓર્ડર આપ્‍યો હતો તે મુજબ ગ્રાહકને સિઝલર પીરસવામાં આવેલ પરંતુ અચાનક ગ્રાહકનું ધ્‍યાન ગયું. સિઝલરમાં તો વંદો (કોકરોઝ) છે. તુરત ગ્રાહકે વિડિયો બનાવીને હંગામો મચાવી દીધો હતો. ત્‍યારબાદ ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. ફૂડ-ડ્રગ વિભાગ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. છેલ્લા અમુક દિવસોમાં રાજ્‍યના વિવિધ સ્‍થળોએ ખાદ્ય પદાર્થોમાંથી જીવ-જંતુ નિકળતા હોવાની ઘટનાઓ સામે આવેી ચુકેલી છે. અગાઉ વેફરના પેકેટમાંથી ફ્રાય દેડકો-નમકીનમાંથીગરોળી નિકળ્‍યાના બનાવો બની ચૂક્‍યા છે ત્‍યારે હવે નિષ્‍કર્ષ એ નિકળે છે કે બહારનું ખાવાનો ખાવાનો સો વાર વિચાર કરવો પડશે.

Related posts

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે રૂા.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું આજે લોકાર્પણ

vartmanpravah

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

vartmanpravah

બાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

વલસાડના ઓવાડાના સોલંકી પરિવારને ડૉ. આંબેડકર આવાસ યોજનાથી મળ્‍યો નવો આશરો

vartmanpravah

Leave a Comment