April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી ઘટના સોશિયલ મીડિયામાં
વાયરલ થતા ચકચાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: બહારનું ફૂડ ખાતા હો તો સત્તરવાર વિચાર કરજો કારણ કે કંઈક તેવી જ ઘટના વલસાડના અબ્રામા વિસ્‍તારમાં કાર્યરત આધુનિક કોફી કલ્‍ચર કાફેમાં બુધવારે રાત્રે ગ્રાહકને પિરસવામાં આવેલ સિઝલરમાંથી વંદો નિકળ્‍યો હતો. ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
અબ્રામા સ્‍થિત કોફી કલ્‍ચર કાફેમાં એક ગ્રાહકે સિઝલરનો ઓર્ડર આપ્‍યો હતો તે મુજબ ગ્રાહકને સિઝલર પીરસવામાં આવેલ પરંતુ અચાનક ગ્રાહકનું ધ્‍યાન ગયું. સિઝલરમાં તો વંદો (કોકરોઝ) છે. તુરત ગ્રાહકે વિડિયો બનાવીને હંગામો મચાવી દીધો હતો. ત્‍યારબાદ ગ્રાહકે ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. ફૂડ-ડ્રગ વિભાગ આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. છેલ્લા અમુક દિવસોમાં રાજ્‍યના વિવિધ સ્‍થળોએ ખાદ્ય પદાર્થોમાંથી જીવ-જંતુ નિકળતા હોવાની ઘટનાઓ સામે આવેી ચુકેલી છે. અગાઉ વેફરના પેકેટમાંથી ફ્રાય દેડકો-નમકીનમાંથીગરોળી નિકળ્‍યાના બનાવો બની ચૂક્‍યા છે ત્‍યારે હવે નિષ્‍કર્ષ એ નિકળે છે કે બહારનું ખાવાનો ખાવાનો સો વાર વિચાર કરવો પડશે.

Related posts

વલસાડમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર તાલીમ શિબિર પ્રેક્‍ટિકલ પરીક્ષા યોજાઈ

vartmanpravah

‘અબકી બાર 400 કે પાર’: મિશન-2024નો દમણથી પ્રદેશ ભાજપે કરેલો પ્રારંભ = દમણ-દીવની લોકસભા બેઠક 40 હજાર કરતા વધુ મતોની સરસાઈથી જીતવા લક્ષ્યાંક

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 11,604 કેસનો નિકાલ: રૂ.14.63 કરોડનું સમાધાન

vartmanpravah

Leave a Comment