June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના આમળી મંદિર ફળિયામાં ચાલીમાં રહેતી પરિણીતાએ કોઈક અગમ્‍ય કારણોસર રૂમની અંદર જ સાડી વડે ગળે ફાંસો લગાવી જીવનલીલા સંકેલી લીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સુરેખા પટેલ (ઉ.વ.25) રહેવાસી મંદિર ફળિયા સેલવાસ જે એના પતિ સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી સવારે જ્‍યારે એનો પતિ કોઈક કામસર બહાર નીકળી ગયા બાદ બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા. તે સમયે સુરેખા ઘરમાં આવી સાડી વડે ફાંસો લગાવી લીધો હતો. થોડો વાર બાદ બાળકો ઘરમાં આવ્‍યા તો જોયું કે એમની મમ્‍મી પંખા સાથે લટકી રહી છે બાળકોએ તાત્‍કાલિક આજુબાજુવાળાને બોલાવ્‍યા બાદ એના પતિને ફોન કરી જાણ કર્યા બાદ 108એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી હતી. સુરેખાને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્‍યાંના ફરજ પરના તબીબે એને મૃત જાહેર કરી હતી. સુરેખાના પતિના જણાવ્‍યા પ્રમાણે એમની પત્‍નીને માનસિક બીમારી હતી. પરંતુ અચાનક જ આવું પગલુંકેમ ભર્યું એની કંઈ ખબર જ ન પડી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

પારડી ખાતે ‘પુસ્‍તક પરબ-કિલ્લા પારડી’નો શુભારંભઃ 750થી વધુ પુસ્‍તકોની સાહિત્‍ય પ્રેમીઓ દ્વારા ભેટ

vartmanpravah

વાપી ડુંગરા પોલીસે મોબાઈલ-રોકડા મળી રૂા. 10.04 લાખના મુદ્દામાલ સાથે મોબાઈલ ચોરને પકડયો

vartmanpravah

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

Leave a Comment