July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: રકાય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબના 31 અને જૂના મુજબના 10 મળી છેલ્લાચાર દિવસમાં કુલ 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.5.35 લાખની આવક થવા પામી છે.
રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યભરમાં જંત્રીના ભાવો વધારીને બમણા કરી દેતા મકાન બાંધકામના ધંધા સાથે સંકળાયેલા બિલ્‍ડરો અને સામાન્‍ય વર્ગની ચિંતા વધી જવા પામી હતી. અને જંત્રીના બમણા ભાવ વધારા સાથે વિરોધના સુર ઉઠવા પામ્‍યાં હતા.
આ દરમ્‍યાન જંત્રીના ભાવો વધતા સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વધી જવાની સ્‍થિતિ વચ્‍ચે અત્રેની સબ રજીસ્‍ટાર કચેરીમાં નવા ભાવો અમલમાં આવ્‍યા બાદ સોમવારથી ગુરૂવાર સુધીમાં નવા જંત્રીના ભાવ મુજબ 31-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા પામી છે. જંત્રીના ભાવ વધારાની ખાસ અસર વર્તાવા પામી ન હોય તેવું ચિત્ર સ્‍પષ્ટ થવા પામ્‍યું છે. આ સાથે અગાઉથી સ્‍ટેમ્‍પ ખરીદાયેલ હોય તેવા કિસ્‍સામાં જુના દર મુજબ 10-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા પામી છે.
છેલ્લા ચાર દિવસમાં જુના અને નવા દર મુજબ ચીખલી સબ રજીસ્‍ટાર કચેરીમાં 41-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા સાથે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી પેટે 3,78,350 અને નોંધણી ફી પેટે રૂા.1,57,250/- સાથે 5,35,600/- રૂપિયાની આવક થવા પામી છે.
સરકાર દ્વારા જંત્રીના દરોમાં બમણો વધારો કરાતા આખરે તો ખરીદનારના માથે જ ભારણ વધવા પામ્‍યું છે. અને ઘર જમીન સહિતની મિલકત ખરીદનારાઓ સામાન્‍યવ્‍યક્‍તિઓનું બજેટ પણ ખોરવાશે. સરકારની આવક વધશે પરંતુ સામાન્‍ય પ્રજા પર ભારણ વધે તેવી સ્‍થિતિમાં સરકાર ફેર વિચારણા કરે તેવી માંગ ઉઠવા પામી હતી. પરંતુ હવે સરકાર ફેર વિચારણા કરે તેમ લાગતું નથી.

Related posts

વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન પુરસ્‍કાર એનાયત

vartmanpravah

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજને ‘‘શ્રેષ્ઠ એન.એસ.એસ. કૉલેજ” પુરસ્‍કાર એનાયત થયો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment