Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: રકાય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબના 31 અને જૂના મુજબના 10 મળી છેલ્લાચાર દિવસમાં કુલ 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.5.35 લાખની આવક થવા પામી છે.
રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યભરમાં જંત્રીના ભાવો વધારીને બમણા કરી દેતા મકાન બાંધકામના ધંધા સાથે સંકળાયેલા બિલ્‍ડરો અને સામાન્‍ય વર્ગની ચિંતા વધી જવા પામી હતી. અને જંત્રીના બમણા ભાવ વધારા સાથે વિરોધના સુર ઉઠવા પામ્‍યાં હતા.
આ દરમ્‍યાન જંત્રીના ભાવો વધતા સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વધી જવાની સ્‍થિતિ વચ્‍ચે અત્રેની સબ રજીસ્‍ટાર કચેરીમાં નવા ભાવો અમલમાં આવ્‍યા બાદ સોમવારથી ગુરૂવાર સુધીમાં નવા જંત્રીના ભાવ મુજબ 31-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા પામી છે. જંત્રીના ભાવ વધારાની ખાસ અસર વર્તાવા પામી ન હોય તેવું ચિત્ર સ્‍પષ્ટ થવા પામ્‍યું છે. આ સાથે અગાઉથી સ્‍ટેમ્‍પ ખરીદાયેલ હોય તેવા કિસ્‍સામાં જુના દર મુજબ 10-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા પામી છે.
છેલ્લા ચાર દિવસમાં જુના અને નવા દર મુજબ ચીખલી સબ રજીસ્‍ટાર કચેરીમાં 41-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા સાથે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી પેટે 3,78,350 અને નોંધણી ફી પેટે રૂા.1,57,250/- સાથે 5,35,600/- રૂપિયાની આવક થવા પામી છે.
સરકાર દ્વારા જંત્રીના દરોમાં બમણો વધારો કરાતા આખરે તો ખરીદનારના માથે જ ભારણ વધવા પામ્‍યું છે. અને ઘર જમીન સહિતની મિલકત ખરીદનારાઓ સામાન્‍યવ્‍યક્‍તિઓનું બજેટ પણ ખોરવાશે. સરકારની આવક વધશે પરંતુ સામાન્‍ય પ્રજા પર ભારણ વધે તેવી સ્‍થિતિમાં સરકાર ફેર વિચારણા કરે તેવી માંગ ઉઠવા પામી હતી. પરંતુ હવે સરકાર ફેર વિચારણા કરે તેમ લાગતું નથી.

Related posts

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં પહેલાં દિવસે ઍકપણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું

vartmanpravah

દીવના દગાચી ગામનીએક ખાણમાં સુકા ઘાસમાં લાગી આગ

vartmanpravah

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

વાપી બલીઠાના નવા સર્વિસ રોડ ઉપર પાર્ક થતા વાહનોની પોલીસે હવા કાઢી નાખ્‍યા બાદ પણ સ્‍થિતિ જૈસે થે

vartmanpravah

Leave a Comment