April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભાજપ દ્વારા આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં આજે સેલવાસના આંબેડકર નગર ખાતે રાજ્યસભાના સાંસદ અને યુ.પી. સરકારના પૂર્વ ડી.જી.પી. બ્રીજ લાલ માર્ગદર્શન આપશે

સાંસદ બ્રીજ લાલને સાંભળવા માટે ભાજપ કાર્યકર્તાઓ સહિત સમાજના બુદ્ધિજીવી વર્ગમાં પણ ઉત્સુકતાનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૨૨ : આવતી કાલે બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ અને ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ ડી.જી.પી. શ્રી બ્રીજ લાલ ઉપસ્થિત રહેવાના છે.
સાંસદ શ્રી બ્રીજ લાલને સાંભળવા માટે ભાજપ કાર્યકર્તાઓ સહિત સમાજના વિવિધ બુદ્ધિજીવી વર્ગ પણ ઉત્સુક હોવાનું દેખાય રહ્નાં છે.
આવતી કાલે સેલવાસના ઉલટન ફળિયા ખાતે આવેલ રમાબાઈ આંબેડકર નગરમાં આયોજીત ‘સંવિધાન ગૌરવ અભિયાન’ના કાર્યક્રમને સફળ બનાવવા પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, ‘સંવિધાન ગૌરવ અભિયાન’ના પ્રદેશ સંયોજક શ્રી મુકેશ ગોસાવી, સહ સંયોજક શ્રી આનંદ સરવે, પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાના અધ્યક્ષ અને ‘સંવિધાન ગૌરવ અભિયાન’ના સહ સંયોજક શ્રી હરિશભાઈ પટેલ, પ્રદેશ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી નિમેષ દમણિયા, સેલવાસ શહેર અધ્યક્ષ શ્રી શાંતુભાઈ પૂજારી, સેલવાસ ગ્રામીણના અધ્યક્ષ શ્રી દીપકભાઈ પ્રધાન, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ સહિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્ના છે.

Related posts

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

vartmanpravah

વલસાડ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

Leave a Comment