Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ કમિશનરના આકારણી માટેના પરિપત્રનું થઈ રહેલું ઉલ્લંઘન

જિલ્લા વિકાસ અધિકારીએ ઉદ્યોગિક વસાહતો તેમજ મોટી હાઉસિંગ સોસાયટી ધરાવતી સરીગામ, સંજાણ, સોળસુંબા, માંડા અને ખતલવાડ સહિતની ગ્રામ પંચાયતોની આકારણી ચોપડાનો વેલ્‍યુએશન રિપોર્ટના આધારે તાગ મેળવી અને તપાસ કરાવી સરપંચ અને તલાટીએ કરેલા કારનામાંનો પર્દાફાશ કરાવવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ તાલુકાની પંચાયતોમાં આકારણીના મુદ્દે અને મિલકતોનું મૂલ્‍યાંકન ઓછું આંકવા માટે તોડપાણી થતી હોવાની બુમરાણ ઘણીવાર સપાટી પર આવી છે. આ પ્રકારના વ્‍યવહારમાં તાલુકા વિકાસ અધિકારીની નજર અંદાજ કરવાની નીતિ અને તલાટી કમ મંત્રી તેમજ સરપંચશ્રીઓની આર્થિક સ્‍વાર્થની ભૂમિકા અગ્રેસર છે. જેના કારણે ગ્રામ પંચાયતોની આવકમાં ભારે નુકસાની સહન કરવી પડે છે.
વિકાસ કમિશનર ગુજરાત રાજ્‍ય ગાંધીનગર ના ક્રમાંકઃ વિક/25/2020 પરિપત્ર મુજબ જમીન અને મકાન ઉપર લેવાતા મિલકત વેરાની આકારણી દર ચાર વર્ષે ફરીથી કરવા માટે સૂચન કરવામાં આવેલું છે. આ પરિપત્રમાં સ્‍પષ્ટતા કરતા જણાવવામાં આવેલું છે કે જિલ્લામાં જે ગ્રામ પંચાયતોમાં પ્રથમ અથવા છેલ્લીઆકારણી જે લાગુ પડતું હોય તેને ચાર વર્ષ પૂર્ણ થયા હોય તો તાત્‍કાલિક પુનઃ આકારણીની કામગીરી હાથ ધરવી. અને ગ્રામ પંચાયતોને થતું નુકસાન ટાળવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને ખાસ ધ્‍યાન આપી આકારણી શકય એટલી વહેલી પૂરી થાય એનો પ્રબંધ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. તેમ છતાં ઉમરગામ તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં આ પરિપત્રનો પાલન કરવામાં આવતું નથી.
સરીગામ, સંજાણ, સોળસુંબા સહિતની ગ્રામ પંચાયતોમાં ઔદ્યોગિક વસાહતો અને મોટી હાઉસિંગ સોસાયટી પણ આવેલી છે. તલાટી કમ મંત્રી અને સરપંચ કરેલી આકારણી વેલ્‍યુએશન રિપોર્ટના આધારે કરવામાં આવેલી નથી. એનો લાભ સ્‍થાનિક રાજકીય આગેવાનો પોતાના સ્‍વાર્થ ખાતર મેળવતા હોય છે જેની આર્થિક નુકસાની ગ્રામ પંચાયતોની આવકો ઉપર પડી રહી છે. આ પ્રકારની આર્થિક નુકસાની ઉપર અંકુશ મુકવા માટે જિલ્લા વિકાસ અધિકારી તમામ ગ્રામ પંચાયતોને પુનઃ આકારણી કરાવવા માટે ફરજ પાડવી જોઈએ એવું જણાઈ રહ્યું છે.

Related posts

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનનું એન્‍જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા દોડધામ મચી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment