(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની તા.25મી એપ્રિલની સૂચિત મુલાકાતના પગલે દમણમાં ઉત્સવનો માહોલ બની રહ્યો છે. પ્રધાનમંત્રી તરીકેના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટચૂકડા દમણ-દીવ અને દાદરા નગર હવેલીને ખોબલે ખોબલે ભરીને આપ્યું હોવાથી સામાન્ય લોકો પણ પોતાના માનીતા નેતાને વધાવવા અને તેમનું ઋણ અદા કરવા અધિરા બન્યા છે.
પ્રધાનમંત્રીશ્રીના રોડ શો દરમિયાન આખું દમણ ઉમટી પડે એ પ્રકારનું આયોજન પ્રશાસન, વિવિધ સેવા સંગઠનો, વિવિધ સમાજ તથા ભાજપ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રીશ્રીએ દમણ પ્રત્યે બતાવેલી ઉદારતાની ચર્ચા પણ લોકો વચ્ચે જઈને કરવામાં આવી રહી છે.