(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવતથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દાનહ જિલ્લા પંચાયતે સુરંગી ગામના લાભાર્થી શ્રી કીકુભાઈના ઘરે નવા અને નવીનીકરણીય મંત્રાલય અને એનર્જી અને મનરેગા યોજનાના બાયોગેસ પ્રોગ્રામ હેઠળ 2M3 ક્ષમતાના નવા બાયોગેસ પ્લાન્ટનું ખાતમુહૂર્ત આજે દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માની ઉપસ્થિતિમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો, બાયોગેસના ઉપયોગ દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પંચાયતની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી હતી. દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએમનરેગા હેઠળ આ નવીનીકરણીય ઊર્જાસ્ત્રોત/સંપત્તિના વ્યાપક અનુラકૂલનની જરૂરિયાત પર ભાર મુક્યો હતો અને માહિતીના પ્રસાર દ્વારા ગ્રામીણ પરિવારોને પ્રોત્સાહિત કરીને આ પહેલને સફળ બનાવવા માટે તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની ભૂમિકા ઉપર ભાર મુક્યો હતો.
ડો. અપૂર્વ શર્માએ પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્તોત્રના ઉપયોગ દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પંચાયતની પ્રતિબધ્ધતાને દર્શાવતા જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા જિલ્લા પંચાયત ઊર્જા સુરક્ષા પર્યાવરણીય સ્થિરતા અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસના ધ્યેયને હાંસલ કરવામાં યોગદાન આપી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાયોગેસ પ્લાન્ટ દ્વારા સ્વચ્છ રસોઈ માટેનું બળતણ ઉત્પન્ન કરે છે. 5 થી 6 પશુ ધરાવતું ઘર બાયોગેસ જે દરરોજ બે થી ત્રણ કલાક રસોઈ બનાવવા બાયોગેસ પૂરતો છે જે લાકડા અને એલપીજી પરની નિર્ભરતા ઘટાડે છે અને રાસાયણિક ખાતરને બદલે છે અને 60થી 70લીટર ઓર્ગેનિક બાયો સ્લરી ઉત્પન્ન કરે છે જેનાથી જમીનની ફળદ્રુપતાને સમૃદ્ધ બનાવે છે.
બાયોગેસનો ઉપયોગ કરવાના ફાયદાઃ (1)ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરીને અશ્મિભૂત ઈંધણને બદલવાની તેની સંભવિતતા (2)જૈવિક ખાતરનું ઉત્પાદન કરે છે (3)ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં સ્વચ્છ ઊર્જાનીમાંગ પુરવઠામાં સુધારો કરવો (4)વધારાના ગેસ અને કાર્બનિક ખાતરના વેચાણ દ્વારા આવકનોસ્ત્રોત વધશે. (5)ફેફસાંના રોગોથી સંબંધિત આરોગ્ય સમસ્યાઓથી બચાવે છે, જેમાં ક્રોનિક રોગોનો સમાવેશ થાય છે. ખાસ કરીને લાકડા પર રસોઈ કરતીસ્ત્રીઓ માટે. (6)એલપીજીની કિંમત બચશે, જેનો ઉપયોગ હાલમાં રસોઈ ઈંધણ તરીકે થાય છે.
આજના બાયોગેસ પ્લાન્ટના ખાતમુહૂર્ત અવસરે સુરંગી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રંજનાબેન હેમંતભાઈ પટેલ, સુરંગી વિભાગના જિ.પં. સભ્ય અને હાલના પ્રમુખ શ્રી દામજીભાઈ જાન્યાભાઈ કુરાડા સહિત લાભાર્થી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.