(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.ર8 નાની દમણ દુણેઠા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય, દુણેઠા દ્વારા એક અખબારી યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે ધો.6માં પ્રવેશ માટે તા. 30/07/2022ના રોજ પરીક્ષા યોજાનાર છે. તો ઈચ્છુક તમામ ઉમેદવારોએ પ્રવેશ પત્ર ઉપર હેડ માસ્ટર/ પ્રાચાર્યની સહી કરાવી પોતાના સેન્ટર ઉપર ઉપસ્થિત રહેવા જણવાયું છે. રિપોર્ટીંગ ટાઈમ -10.45, જ્યારે પરીક્ષાનો સમય 11.30 થી 1.30 વાગ્યા સુધીનો રહેશે.