Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’અભિયાનને સફળ બનાવવા માટે ગત તા.3જી ઓગસ્‍ટના રોજ દમણના વોર્ડ નં.5 પરકોટા શેરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ડીએમસીના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા, ડીએમસી કાઉન્‍સિલર રશ્‍મિબેન હળપતિ, ચંડોક જસવિંદર રંજીત સિંહ, શોહિના રજનીકાંત પટેલ, શ્રી કલ્‍પેશ સીતારામ, શિવ કુમાર સિંહ, શ્રી ધનસુખભાઈ પટેલ, મીનાક્ષીબેન, શ્રી દીપક શર્મા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના વોર્ડ નં.5 પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હર ઘર તિરંગા બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્‍યા હતા. અહીં ઉપસ્‍થિત તમામે એકસાથે ઘરે ઘરે જઈને લોકોને તેમના સુવિચારોથી અવગત કર્યા હતા અને લોકોને વિનંતી કરી હતી કે તમામના ઘરે ઘર ઉપર, બિલ્‍ડીંગ ઉપર અને દુકાનો ઉપર તમામ જગ્‍યાએ તિરંગો ફરકાવવાનો છે અને તિરંગાનેવ્‍યવસ્‍થિત રીતે ફરકાવવો. તિરંગો 45 ડીગ્રી કરતા વધુ ઝૂકેલો હોવો જોઈએ નહીં અને તિરંગો કેવી રીતે ફરકાવવો એ બાબતની લોકોને જાણકારી આપવામાં આવી હતી. આ આપણા સૌના માટે સમ્‍માની વાત છે, અને દેશભક્‍તિની ભાવના જગાવવાની છે. દેશ આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યો છે. એટલે આ ઐતિહાસિક ક્ષણને જોર શોરથી અને દેશભક્‍તિથી ઉજવીએ. આગામી તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દરેક ઘરે ઘર તિરંગો ફરાવવાનો છે. આ તિરંગો દમણ નગરપાલિકા કચેરીએથી તથા ન.પા. કર્મચારીઓ પાસેથી ફક્‍ત 25 રૂપિયામાં મળી શકશે તેના માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
આ અભિયાનમાં શ્રી ધનસુખભાઈ હળપતિ અને વોર્ડના સભ્‍યો પણ જોડાયામાં હતા.

Related posts

અદાણી ગેસની બોગસ વેબસાઈટથી વાપીના બિલ્‍ડર પાસેથી રૂા.94.20 લાખની છેતરપિંડીકરનાર ગેંગનો પાંચમો આરોપી ઝડપાયો

vartmanpravah

વાપી નગરના લોકોએ સતત 20 વર્ષ માટે ભાજપને પાલિકાની શાસન ધૂરા સંભાળવા આપેલો જનાદેશ

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ-ડાંગના તીર્થધામોને પ્રવાસનમાં સમાવેશ કરવા સાંસદમાં કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment