June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.05
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં ભાજપના જનાધારને વધારવા લોકોને પાર્ટી સાથે જોડવા ઉપર મનન-મંથન કરવામાં આવ્‍યું હતું. દીવ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દીવના ગાંધીપરા હોલ ખાતે મળેલી પ્રદેશ કાર્યકારિણીમાં ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી વિવેધ દાઢકર, પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત પ્રદેશ ભાજપના વિવિધ પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરે ગત 8 વર્ષમાં ભાજપ સરકારની તમામ યોજનાઓ પ્રદેશના છેવાડેના લોકો સુધી પહોંચી હોવાથી આ લાભાર્થીઓને પણ પક્ષની સાથે જોડવા કાર્યકરોને જરૂરી દિશા-નિર્દેશ આપ્‍યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, દેશમાં ભાજપે વિચારધારા અને સંગઠનના માધ્‍યમથી સત્તા મેળવી છે. એક સમયે બે સાંસદો હતા આજે 303 સાંસદોસાથે કેન્‍દ્રમાં બહુમતિ છે. ભાજપ પરિવારવાદ ચલાવનારી પાર્ટી નહીં હોવાનું પણ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, શ્રી કિરીટભાઈ વાજા તેમજ વિવિધ મોર્ચાના પ્રમુખો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

‘‘વિશ્વ આદિવાસી દિવસ”ના યાદગાર દિને ચીખલી તાલુકાના નાગરિકોની આરોગ્‍યલક્ષી સુવિધામાં થયો વધારો

vartmanpravah

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે કાંજણહરીમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 86 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment