Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
વલસાડ જિલ્લાના ધરમપુર નજીકમાં ધરમપુર તાલુકા રામેશ્વર આદિવાસી પ્રગતિ મંડળ માલનપાડા હાઈસ્‍કૂલમાં જરૂરિયાતમંદ બાળકોને ધાબળા વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા દીપ પ્રાગટય કરીવિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી ધાબળા વિતરણ કરવામાં આવ્‍યું હતુ.
શ્રી માંગીલાલ શર્મા હરીશ આર્ટ, શ્રી ખુશાલભાઈ વાઢુ -પૂર્વ સૈનિક બાબરખડક, શ્રી જ્‍યેન્‍દ્ર ગાંવિત -આદિવાસી નેતા અને સરપંચ મનાલા, શ્રી મંગુભાઈ ગાંવિત- સામાજીક કાર્યકર નાનાપોંઢા, શ્રી મહેશભાઈ અને શ્રી કંચનભાઈ પટેલ-નવીનગરી પ્રાથમિક શાળા સંસ્‍થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ જાદવ વગરે ઉપસ્‍થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ ચૌધરી દ્વારા દાતાઓ અને મહેમાનોનું સન્‍માન સાથે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતા કલાબેન ડેલકરઃ ડેલકર જૂથના કાર્યકર્તાઓમાં આનંદની લહેર: વરસોથી ભાજપને વફાદાર રહેલા સંનિષ્‍ઠ કાર્યકરો હતાશ

vartmanpravah

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment