Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા દેશના લોકોમાં પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ અને જવાબદારીની ભાવનાને પ્રોત્‍સાહિત કરવાના હેતુથી તા.1 જુલાઈથી, 2025થી 21ઓગસ્‍ટ, 2025 દરમિયાન ‘નેશનલ સ્‍ટુડન્‍ટપર્યાવરણ પ્રતિયોગિતા-2025’નું આયોજન થઈ રહ્યું છે. આ સ્‍પર્ધાની થીમ ‘દરેક નાગરિકની ભાગીદારી, પર્યાવરણની જવાબદારી’ છે. જેની કડીમાં સેલવાસ નગરપાલિકાના પાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીના નેતૃત્‍વમાં ન.પા.ના અધિકારીઓ અને હ્યુમન ઓફ અર્થના સહયોગથી ઝંડાચોક સ્‍થિત શાળામાં વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણીય પહેલ અંગે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાગીદારી કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ સ્‍પર્ધા પાંચ વર્ગોમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સમૂહમાં ધોરણ 1 થી 5 સુધી, બીજા સમૂહમાં ધોરણ 6 થી 8 સુધી, ત્રીજા સમૂહમાં ધોરણ 9 થી 12 સુધીના, ચોથા સમૂહમાં સ્‍નાતક, અનુસ્‍નાતક અને રિસર્ચ સ્‍કોલર, પાંચમાં સમૂહમાં સામાન્‍ય નાગરિક, શિક્ષકો, કર્મચારીઓ ભાગ લઈ શકશે.
દરેક સમૂહના સ્‍પર્ધકોને રાષ્‍ટ્રીય અને પ્રદેશ સ્‍તરીય પુરસ્‍કૃત કરવામાં આવશે. સાથે દરેકને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પહેલના માધ્‍યમથી ફક્‍ત વિદ્યાર્થીઓ સાથે દરેક વર્ગના નાગરિક પર્યાવરણની સુરક્ષામાં પોતાની ભૂમિકા નિભાવી શકે છે. દરેક શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ આ અભિયાનમાં ભાગ લે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સકારત્‍મક યોગદાન આપે.

Related posts

પારડી વિશ્રામ હોટલ સામેથી દારૂ ભરેલ ઈનોવા કાર પકડતી પારડી પોલીસ

vartmanpravah

ભારત બંધના એલાનને પગલે ચીખલીમાં વેપાર ધંધા ચાલુ રહ્યાઃ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દુકાનદારોએ સ્‍વયંભૂ બંધમાં જોડાયા

vartmanpravah

NCTEએ શૈક્ષણિક સત્ર 2021-22 અને 2022-23 માટે શિક્ષક શિક્ષણ સંસ્થાઓના પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ સબમિટ કરવા માટે નોટિસ બહાર પાડી

vartmanpravah

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

Leave a Comment