March 6, 2026
Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા દેશના લોકોમાં પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ અને જવાબદારીની ભાવનાને પ્રોત્‍સાહિત કરવાના હેતુથી તા.1 જુલાઈથી, 2025થી 21ઓગસ્‍ટ, 2025 દરમિયાન ‘નેશનલ સ્‍ટુડન્‍ટપર્યાવરણ પ્રતિયોગિતા-2025’નું આયોજન થઈ રહ્યું છે. આ સ્‍પર્ધાની થીમ ‘દરેક નાગરિકની ભાગીદારી, પર્યાવરણની જવાબદારી’ છે. જેની કડીમાં સેલવાસ નગરપાલિકાના પાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીના નેતૃત્‍વમાં ન.પા.ના અધિકારીઓ અને હ્યુમન ઓફ અર્થના સહયોગથી ઝંડાચોક સ્‍થિત શાળામાં વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણીય પહેલ અંગે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાગીદારી કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ સ્‍પર્ધા પાંચ વર્ગોમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સમૂહમાં ધોરણ 1 થી 5 સુધી, બીજા સમૂહમાં ધોરણ 6 થી 8 સુધી, ત્રીજા સમૂહમાં ધોરણ 9 થી 12 સુધીના, ચોથા સમૂહમાં સ્‍નાતક, અનુસ્‍નાતક અને રિસર્ચ સ્‍કોલર, પાંચમાં સમૂહમાં સામાન્‍ય નાગરિક, શિક્ષકો, કર્મચારીઓ ભાગ લઈ શકશે.
દરેક સમૂહના સ્‍પર્ધકોને રાષ્‍ટ્રીય અને પ્રદેશ સ્‍તરીય પુરસ્‍કૃત કરવામાં આવશે. સાથે દરેકને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પહેલના માધ્‍યમથી ફક્‍ત વિદ્યાર્થીઓ સાથે દરેક વર્ગના નાગરિક પર્યાવરણની સુરક્ષામાં પોતાની ભૂમિકા નિભાવી શકે છે. દરેક શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ આ અભિયાનમાં ભાગ લે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સકારત્‍મક યોગદાન આપે.

Related posts

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

બગવાડા હાઈવે પર કન્‍ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા કારનો ખુરદો: એર બેગ ખુલી જતા કારમાં સવાર તમામનો સામન્‍ય ઈજા સાથે બચાવ

vartmanpravah

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

vartmanpravah

વલસાડમાં ઔરંગા નદીમાં ગણેશજીની વિસર્જીત મૂર્તિઓ દુર્દશાગ્રસ્‍ત : માટીનીમૂર્તિના અભાવે ઉભી થયેલી સ્‍થિતિ

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

Leave a Comment