January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા દેશના લોકોમાં પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ અને જવાબદારીની ભાવનાને પ્રોત્‍સાહિત કરવાના હેતુથી તા.1 જુલાઈથી, 2025થી 21ઓગસ્‍ટ, 2025 દરમિયાન ‘નેશનલ સ્‍ટુડન્‍ટપર્યાવરણ પ્રતિયોગિતા-2025’નું આયોજન થઈ રહ્યું છે. આ સ્‍પર્ધાની થીમ ‘દરેક નાગરિકની ભાગીદારી, પર્યાવરણની જવાબદારી’ છે. જેની કડીમાં સેલવાસ નગરપાલિકાના પાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીના નેતૃત્‍વમાં ન.પા.ના અધિકારીઓ અને હ્યુમન ઓફ અર્થના સહયોગથી ઝંડાચોક સ્‍થિત શાળામાં વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણીય પહેલ અંગે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાગીદારી કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ સ્‍પર્ધા પાંચ વર્ગોમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સમૂહમાં ધોરણ 1 થી 5 સુધી, બીજા સમૂહમાં ધોરણ 6 થી 8 સુધી, ત્રીજા સમૂહમાં ધોરણ 9 થી 12 સુધીના, ચોથા સમૂહમાં સ્‍નાતક, અનુસ્‍નાતક અને રિસર્ચ સ્‍કોલર, પાંચમાં સમૂહમાં સામાન્‍ય નાગરિક, શિક્ષકો, કર્મચારીઓ ભાગ લઈ શકશે.
દરેક સમૂહના સ્‍પર્ધકોને રાષ્‍ટ્રીય અને પ્રદેશ સ્‍તરીય પુરસ્‍કૃત કરવામાં આવશે. સાથે દરેકને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પહેલના માધ્‍યમથી ફક્‍ત વિદ્યાર્થીઓ સાથે દરેક વર્ગના નાગરિક પર્યાવરણની સુરક્ષામાં પોતાની ભૂમિકા નિભાવી શકે છે. દરેક શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ આ અભિયાનમાં ભાગ લે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સકારત્‍મક યોગદાન આપે.

Related posts

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં સામાન્‍ય સભા સાથે હોલ અને જન વિશ્રામ કુટીરનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

Leave a Comment