Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

સ્‍વામી નારાયણ સંસ્‍થાના સંત ચિન્‍મય સ્‍વામીના મુખ્‍ય અતિથિ પદે યોજાનારા સમારંભમાં અતિથિ વિશેષ તરીકે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની અને દમણના બી.ડી.ઓ. મિહિર જોષીની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આવતી કાલે શ્રી સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને છેલ્લા પાંચ વર્ષથી સતત 100 ટકા પરિણામ લાવનારી દમણવાડા હાયર સેકન્‍ડરી સ્‍કૂલના પ્રિન્‍સિપાલ અને શિક્ષકોના સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્‍વામી નારાયણ સંસ્‍થાના સંત શ્રી ચિન્‍મય સ્‍વામી અને અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્‍ટ્રીય કથાકાર અને ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાની બાપુ તથા દમણના બી.ડી.ઓ. શ્રી મિહિરભાઈ જોષી ઉપસ્‍થિત રહેશે.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ આગરિયાની પણ ગરિમામયી ઉપસ્‍થિતિ રહેવાની હોવાનું જાણવા મળે છે.
અત્રે યાદ રહે કે, દમણવાડા ગ્રામ પંચાયતે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની પંચાયત વિસ્‍તારમાં શિક્ષણ દ્વારાસમાજ ઘડતર અને સંસ્‍કારના સિંચન માટે અનેક કામ કર્યા છે.

Related posts

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

Leave a Comment