September 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત ગલોન્‍ડા, ફલાન્‍ડી અને ઉમરકુઈ હાટપાડામાં શેરી નાટકો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત, 8મી જુલાઈ-2025થી 23 જુલાઈ-2025 સુધી દાદરા નગર હવેલીની તમામ ગ્રામ પંચાયતોમાં શેરી નાટકો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.
જેની કડીમાં ગઈકાલ ગુરૂવારે ત્રીજા દિવસે, ગલોન્‍ડામાં સરકારી પ્રાથમિક શાળા રાઉતપાડા, ફલાંડીમાં સરકારી પ્રાથમિક શાળા ભવરપાડા, ઉમરકુઇમાં હાટપાડા અને અથોલામાં સિલી ફાટક ખાતે શેરી નાટકના સભ્‍યોએ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન ગલોન્‍ડા ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયત સચિવ, પંચાયત કર્મચારીઓ અને ગ્રામજનોએ ઉક્‍ત શેરી નાટક કાર્યક્રમમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શેરી નાટક દરમિયાન, લગભગ 620 જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમને શેરી નાટક દ્વારા સ્‍વચ્‍છ શૌચાલયના ઉપયોગ, ખુલ્લામાં કચરો નહીં ફેંકવા અને રોજિંદા જીવન વિશે જાગૃત કરવામાં આવ્‍યા હતા. જેમાં વાદળી અને લીલા કચરાપેટીના યોગ્‍ય ઉપયોગ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ‘સ્‍વચ્‍છ ભારતમિશન’ના ઉદ્દેશ્‍યને આગળ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ છે.

Related posts

ઉમરગામના મોહનગામમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ યાત્રાનું ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉમળકાભેર સ્‍વાગત કર્યું

vartmanpravah

વાપી બાર એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર: આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ મતદાન યોજાશે

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પારડી હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભાગવત કથાનું આયોજન

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment