June 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત ગલોન્‍ડા, ફલાન્‍ડી અને ઉમરકુઈ હાટપાડામાં શેરી નાટકો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : ભારત સરકારના પેયજળ અને સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત, 8મી જુલાઈ-2025થી 23 જુલાઈ-2025 સુધી દાદરા નગર હવેલીની તમામ ગ્રામ પંચાયતોમાં શેરી નાટકો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.
જેની કડીમાં ગઈકાલ ગુરૂવારે ત્રીજા દિવસે, ગલોન્‍ડામાં સરકારી પ્રાથમિક શાળા રાઉતપાડા, ફલાંડીમાં સરકારી પ્રાથમિક શાળા ભવરપાડા, ઉમરકુઇમાં હાટપાડા અને અથોલામાં સિલી ફાટક ખાતે શેરી નાટકના સભ્‍યોએ પ્રદર્શન કર્યું હતું.
આ દરમિયાન ગલોન્‍ડા ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયત સચિવ, પંચાયત કર્મચારીઓ અને ગ્રામજનોએ ઉક્‍ત શેરી નાટક કાર્યક્રમમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ શેરી નાટક દરમિયાન, લગભગ 620 જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમને શેરી નાટક દ્વારા સ્‍વચ્‍છ શૌચાલયના ઉપયોગ, ખુલ્લામાં કચરો નહીં ફેંકવા અને રોજિંદા જીવન વિશે જાગૃત કરવામાં આવ્‍યા હતા. જેમાં વાદળી અને લીલા કચરાપેટીના યોગ્‍ય ઉપયોગ વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ‘સ્‍વચ્‍છ ભારતમિશન’ના ઉદ્દેશ્‍યને આગળ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ છે.

Related posts

કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બાઈક પાછળ બેઠેલી મહિલાનું મોત

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

વાપીમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ સ્‍થાપના દિનની ઉજવણી, રેલી કાઢવામાં આવી

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

Leave a Comment