Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા દેશના લોકોમાં પર્યાવરણ પ્રત્‍યે જાગૃતિ અને જવાબદારીની ભાવનાને પ્રોત્‍સાહિત કરવાના હેતુથી તા.1 જુલાઈથી, 2025થી 21ઓગસ્‍ટ, 2025 દરમિયાન ‘નેશનલ સ્‍ટુડન્‍ટપર્યાવરણ પ્રતિયોગિતા-2025’નું આયોજન થઈ રહ્યું છે. આ સ્‍પર્ધાની થીમ ‘દરેક નાગરિકની ભાગીદારી, પર્યાવરણની જવાબદારી’ છે. જેની કડીમાં સેલવાસ નગરપાલિકાના પાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટીના નેતૃત્‍વમાં ન.પા.ના અધિકારીઓ અને હ્યુમન ઓફ અર્થના સહયોગથી ઝંડાચોક સ્‍થિત શાળામાં વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણીય પહેલ અંગે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાગીદારી કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ સ્‍પર્ધા પાંચ વર્ગોમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સમૂહમાં ધોરણ 1 થી 5 સુધી, બીજા સમૂહમાં ધોરણ 6 થી 8 સુધી, ત્રીજા સમૂહમાં ધોરણ 9 થી 12 સુધીના, ચોથા સમૂહમાં સ્‍નાતક, અનુસ્‍નાતક અને રિસર્ચ સ્‍કોલર, પાંચમાં સમૂહમાં સામાન્‍ય નાગરિક, શિક્ષકો, કર્મચારીઓ ભાગ લઈ શકશે.
દરેક સમૂહના સ્‍પર્ધકોને રાષ્‍ટ્રીય અને પ્રદેશ સ્‍તરીય પુરસ્‍કૃત કરવામાં આવશે. સાથે દરેકને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પહેલના માધ્‍યમથી ફક્‍ત વિદ્યાર્થીઓ સાથે દરેક વર્ગના નાગરિક પર્યાવરણની સુરક્ષામાં પોતાની ભૂમિકા નિભાવી શકે છે. દરેક શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ આ અભિયાનમાં ભાગ લે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સકારત્‍મક યોગદાન આપે.

Related posts

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

શતાબ્‍દી વર્ષમાં પ્રવેશેલ આર.એસ.એસ દ્વારા પારડી નગરમાં વિજ્‍યા દસમી ઉત્‍સવની ઉજવણી

vartmanpravah

એસ.એસ.સી.માં ઓછા ટકા આવતા માતાએ ઠપકો આફતા ઘર છોડી નિકળેલી અમદાવાદની તરૂણી વલસાડમાં મળી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

Leave a Comment