Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીના કિનારેથી નરોલી સ્‍મશાન ભૂમી તરફ જતો રસ્‍તો જર્જરિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: સેલવાસના દમણગંગા નદીના કિનારે નરોલી ગામ તરફની સ્‍મશાન ભૂમી તરફ જતા રસ્‍તા પર કાદવ-કીચડના કારણે સ્‍મશાન ભૂમિમાં જવા-આવવા ડાઘુઓને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી, અથાલ, ખરડપાડા સાથે ગુજરાતના જોડાયેલા બે ગામોના વિસ્‍તારમાંથી કોઈક વ્‍યક્‍તિનું અવસાન થાય છે ત્‍યારે અંતિમયાત્રા આ રસ્‍તા પરથી પસાર થાય છે અને સ્‍મશાન ભૂમિ પર પહોંચે છે. આ રસ્‍તાની સ્‍થિતિ હાલમાં ખૂબ કાદવ-કિચડથી ખદબદ અને દયનીય છે, આ રસ્‍તા પર ચાલવું ક્‍યાં એ સમજી શકાતુ નથી. નરોલી-સેલવાસ રસ્‍તાના નવિનીકરણનું કામ થઈ રહ્યું છે, ત્‍યારે સ્‍મશાન ભૂમિ તરફ જતા રસ્‍તાનું કામ શા માટે નથી કરવામાં આવતું? એ પ્રશ્ન છે.

Related posts

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા આદિવાસી નૃત્‍ય પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

vartmanpravah

Leave a Comment