June 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડના છીપવાડ સ્‍થિત શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં 150 વર્ષથી શરદ મહોત્‍સવની ઉજવણી થાય છે. ત્રણ દિવસ સુધી ઉજવાતા શરદ મહોત્‍સવમાં શ્રી રાજજી શ્‍યામજીની સેવાને નીજ મંદિરમાંથી રાસ મંડળમાં પધરામણી કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રણામી સંપ્રદાય દ્વારા મંદિરના પ્રાંગણમાં શ્રી કૃષ્ણની વૃજલીલાના ગરબા રાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં દેશ વિદેશથી પધારેલા સંપ્રદાયનાઅનુયાયીઓએ મંદિરમાં પુજા અર્ચના કરી ધન્‍યતા અનુભવી હતી. મોડી રાત સુધી ભક્‍તોએ શ્રી કૃષ્ણની વૃજલીલાનાં ગરબા-રાસનો લ્‍હાવો લીધો હતો. આ શરદ મહોત્‍સવની ઉજવણીમાં ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શિવજી મહારાજે ખાસ ઉપસ્‍થિત રહી પ્રણામી સંપ્રદાયના કોરોનાકાળ દરમિયાનની સેવાકીય પ્રવૃતિઓને બીરદાવી હતી.

Related posts

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ભવ્‍ય ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાશે: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

Leave a Comment