October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડના છીપવાડ સ્‍થિત શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં 150 વર્ષથી શરદ મહોત્‍સવની ઉજવણી થાય છે. ત્રણ દિવસ સુધી ઉજવાતા શરદ મહોત્‍સવમાં શ્રી રાજજી શ્‍યામજીની સેવાને નીજ મંદિરમાંથી રાસ મંડળમાં પધરામણી કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રણામી સંપ્રદાય દ્વારા મંદિરના પ્રાંગણમાં શ્રી કૃષ્ણની વૃજલીલાના ગરબા રાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં દેશ વિદેશથી પધારેલા સંપ્રદાયનાઅનુયાયીઓએ મંદિરમાં પુજા અર્ચના કરી ધન્‍યતા અનુભવી હતી. મોડી રાત સુધી ભક્‍તોએ શ્રી કૃષ્ણની વૃજલીલાનાં ગરબા-રાસનો લ્‍હાવો લીધો હતો. આ શરદ મહોત્‍સવની ઉજવણીમાં ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શિવજી મહારાજે ખાસ ઉપસ્‍થિત રહી પ્રણામી સંપ્રદાયના કોરોનાકાળ દરમિયાનની સેવાકીય પ્રવૃતિઓને બીરદાવી હતી.

Related posts

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાંથી 39 ખેલાડીઓની કરવામાં આવેલી પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશ કક્ષાની રમત સ્‍પર્ધામાં દમણમાં બીચ વૉલીબોલ સ્‍પર્ધા યોજાઈઃ અંડર-17 બોયઝમાં દાનહ વિજેતાઃ અંડર-19 બોયઝમાં દીવ વિજેતા

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

vartmanpravah

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment