April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24
ખેરગામ તાલુકાના નાન્‍ધઈને વલસાડ તાલુકાના મરલા ગામ સાથે જોડતો ખૂબ જ અગત્‍યનો માર્ગનો ડુબાઉ કોઝવેની જગ્‍યાએ ઊંચા પુલ માટે વર્ષો સુધી અનેક રજૂઆતો થઈ. પરંતુ હાલના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલ તથા પ્રથમવાર કેબિનેટ મંત્રી બનેલા ધારાસભ્‍ય નરેશભાઈ પટેલને ખેરગામ તાલુકા ભાજપ સંગઠન અને સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જે હવે સફળ થઈ છે.
ગુજરાત સરકારની વનબંધુ કલ્‍યાણ યોજના-2 હેઠળ ચાર ભાગ કામ માટે માર્ગ મકાન વિભાગના ઉપ સચિવ દ્વારા 21 મી જુલાઈએ જોબ નંબરની ફાળવણી કરવામાં આવતા આગામી વર્ષોમાં આદિવાસી પ્રજાની મુશ્‍કેલીઓનો કાયમી અંત આવશે.
નાન્‍ધઈના વેદાશ્રમથી ગંગેશ્વર મહાદેવ મંદિર થઈ મરલાને જોડતો ઔરંગા નદીના હયાત ડુબાઉ કોઝવેની જગ્‍યાએ મેજર બ્રિજ રૂ.600 લાખના ખર્ચેએપ્રોચ સાથે 400 મિ.મા બનશે. બહેજ ગામના ક્રળતિ ખડક ગ્રામ્‍ય માર્ગે એપ્રોચ સાથે માઈનોર બ્રિજ રૂપિયા 70 લાખના ખર્ચે થશે. આછવણી બંધાડ ફળિયાથી પ્રાથ. શાળા હનુમાન ફળિયાને જોડતા રસ્‍તે 85 લાખના ખર્ચે એપ્રોચ સાથે માઈનોર બ્રિજ બનશે. ખેરગામથી પીઠા જતા માર્ગે 40 લાખના બોક્‍સ કલવર્ટ બનાવવામાં આવશે. કણભઈ સતાડીયાના પ્રધાનપાડા ખાતે 45 લાખનો બોક્‍સ કલવર્ટ બનાવવામાં આવશે. આમ માત્ર ખેરગામ તાલુકામાં ચાર કામ માટે 795 લાખ રૂપિયાની ફાળવણી થઈ છે જે આદિવાસી વિસ્‍તાર માટે ખૂબ જ ઉપયોગી અને વિકાસની ગતિને વેગ આપનારી છે.
આ કામો પૂર્ણ થતા ગ્રામ્‍ય પ્રજાને ખૂબ જ રાહત થશે ખાસ કરીને ગરગડિયાના ラડુબાઉ કોઝ-વેના કારણે જે જાનહાની થતી તે હવે થશે નહીં, 10-15 દિવસ સુધી સીધો વ્‍યવહાર થંભી જતો હતો તે હવે બારમાસી ચાલુ રહેશે. ખેરગામ નારણપુર નાધઈ મરલા માર્ગનો પણ ઉપયોગ વધશે.
ચાર કામોને મંજૂરી અપાતા ખેરગામ તાલુકાના સરપંચો, આગેવાનો આદિવાસી પ્રજા, ભાજપ પ્રમુખ ચુનીભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ વિ. સાંસદ શ્રી સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના ખૂબ આભારી છે.

Related posts

દીવ જિલ્લાના ધો.12ના ટોપર મેહુલ મજેઠીયાનું કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે સર્ટીફિકેટ આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટાતા ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતો ચિંતાતુર

vartmanpravah

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને સુરત ઝોન કક્ષાની ‘‘શ્રી અન્ન” (મિલેટ્‍સ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment