March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24
ખેરગામ તાલુકાના નાન્‍ધઈને વલસાડ તાલુકાના મરલા ગામ સાથે જોડતો ખૂબ જ અગત્‍યનો માર્ગનો ડુબાઉ કોઝવેની જગ્‍યાએ ઊંચા પુલ માટે વર્ષો સુધી અનેક રજૂઆતો થઈ. પરંતુ હાલના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલ તથા પ્રથમવાર કેબિનેટ મંત્રી બનેલા ધારાસભ્‍ય નરેશભાઈ પટેલને ખેરગામ તાલુકા ભાજપ સંગઠન અને સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જે હવે સફળ થઈ છે.
ગુજરાત સરકારની વનબંધુ કલ્‍યાણ યોજના-2 હેઠળ ચાર ભાગ કામ માટે માર્ગ મકાન વિભાગના ઉપ સચિવ દ્વારા 21 મી જુલાઈએ જોબ નંબરની ફાળવણી કરવામાં આવતા આગામી વર્ષોમાં આદિવાસી પ્રજાની મુશ્‍કેલીઓનો કાયમી અંત આવશે.
નાન્‍ધઈના વેદાશ્રમથી ગંગેશ્વર મહાદેવ મંદિર થઈ મરલાને જોડતો ઔરંગા નદીના હયાત ડુબાઉ કોઝવેની જગ્‍યાએ મેજર બ્રિજ રૂ.600 લાખના ખર્ચેએપ્રોચ સાથે 400 મિ.મા બનશે. બહેજ ગામના ક્રળતિ ખડક ગ્રામ્‍ય માર્ગે એપ્રોચ સાથે માઈનોર બ્રિજ રૂપિયા 70 લાખના ખર્ચે થશે. આછવણી બંધાડ ફળિયાથી પ્રાથ. શાળા હનુમાન ફળિયાને જોડતા રસ્‍તે 85 લાખના ખર્ચે એપ્રોચ સાથે માઈનોર બ્રિજ બનશે. ખેરગામથી પીઠા જતા માર્ગે 40 લાખના બોક્‍સ કલવર્ટ બનાવવામાં આવશે. કણભઈ સતાડીયાના પ્રધાનપાડા ખાતે 45 લાખનો બોક્‍સ કલવર્ટ બનાવવામાં આવશે. આમ માત્ર ખેરગામ તાલુકામાં ચાર કામ માટે 795 લાખ રૂપિયાની ફાળવણી થઈ છે જે આદિવાસી વિસ્‍તાર માટે ખૂબ જ ઉપયોગી અને વિકાસની ગતિને વેગ આપનારી છે.
આ કામો પૂર્ણ થતા ગ્રામ્‍ય પ્રજાને ખૂબ જ રાહત થશે ખાસ કરીને ગરગડિયાના ラડુબાઉ કોઝ-વેના કારણે જે જાનહાની થતી તે હવે થશે નહીં, 10-15 દિવસ સુધી સીધો વ્‍યવહાર થંભી જતો હતો તે હવે બારમાસી ચાલુ રહેશે. ખેરગામ નારણપુર નાધઈ મરલા માર્ગનો પણ ઉપયોગ વધશે.
ચાર કામોને મંજૂરી અપાતા ખેરગામ તાલુકાના સરપંચો, આગેવાનો આદિવાસી પ્રજા, ભાજપ પ્રમુખ ચુનીભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ વિ. સાંસદ શ્રી સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના ખૂબ આભારી છે.

Related posts

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

બેડપાના પૂર્વ પંચાયત સભ્‍ય રાજેશ જાનુ વાંગડે ભાજપની બાંધેલી કંઠીઃ પૂર્વ સાંસદ સીતારામ ગવળી, હિરાભાઈ પટેલ અને પાવલુસભાઈ વાંગડની રંગ લાવી રહેલી મહેનત

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ બાસ્‍કેટ બોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment