(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24
વલસાડ તાલુકાના ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલના સ્વ. પત્નીની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે એન.ડી.પી. ગ્રુપના સથવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના યુવા કાર્યકર્તા કેયુર પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલે જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને આ ભગીરથ કાર્યમાં ભાગ લેનાર તમામ યુવાનો અભિનંદનના પાત્ર છે.
ગુંદલાવ ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલની સ્વ.ધર્મપત્ની સોનલબેન નીતિનભાઈ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં કુલ 111 રક્ત યુનિટ એકત્ર કરી વલસાડ રક્તદાન કેન્દ્રને સોંપવામાં આવી હતી.
રક્તદાન કરનાર યુવાનોને પ્રોત્સાહિત કરવા સ્વ.હરજીભાઈ નારણભાઈ પટેલનાસ્મરણાર્થે બાબુભાઈ અને સર્વોદય પરિવાર દ્વારા બેગ ભેટ આપવામાં આવી હતી.
