Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ગુજરાત ટેકનોલોજીકલયુનિવર્સિટી દ્વારા માસ્‍ટર ઓફ ફાર્મસી બીજા સેમેસ્‍ટરની પરીક્ષાનું તારીખ 12/09/2022 સોમવારના રોજ જી.ટી.યુ. દ્વારા જાહેર થયેલ છે. દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. આ જાહેર થયેલા પરિણામમાં એમ. ફાર્મના ત્રણ વિદ્યાર્થીઓ જી. ટી. યુ. ટોપ ટેનમાં અને સાત વિદ્યાર્થીઓ બ્રાંચ વાઈઝ પરિણામમાં આવતા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં સમગ્ર એમ.ફાર્મ બ્રાંચના એસ.પી.આઈ અને સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા કચ્‍છી જાગૃતિબેન વસંતભાઈ 9.23 એસ.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં સાતમો ક્રમ, અને કોન્‍ટ્રકટર ફોરમ જયેશભાઈ 9.08 એસ.પી.ઈ સાથે દશમો ક્રમ પ્રાપ્ત કર્યો છે, અને સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા કોન્‍ટ્રકટર ફોરમ જયેશભાઈ 9.15 સી.પી.આઈ સાથે પાંચમો ક્રમ અને સરવૈયા સંજયભાઈ ભરતભાઈ 9.08 સી.પી.આઈ સાથે નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજનું નામ વધાર્યું છે.
આ ઉપરાંત બ્રાંચ વાઈઝ પરિણામ જોતા ફાર્માસ્‍યુટિકસ શાખામાં કોન્‍ટ્રકટર ફોરમ જયેશભાઈ 9.15 સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમે, સરવૈયા સંજયભાઈ ભરતભાઈ 9.08 સી.પી.આઈ સાથે બીજા ક્રમે, નાયક નીલ તોહલ 8.92 સી.પી.આઈ સાથે ચોથા ક્રમે, કિકાણી ઉત્‍કર્ષ ભરતભાઈ8.85 સી.પી.આઈ સાથે સાતમાં ક્રમે, સિંગ દિક્ષા વિનય 8.77 સી.પી.આઈ સાથે દશમાં ક્રમે આવતા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત બ્રાંચ વાઈઝ પરિણામ જોતા ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ શાખામાં કચ્‍છી જાગૃતિબેન વસંતભાઈ 9.00 સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ચોથા ક્રમે, લાડ શિવમ પરેનભાઈ 8.77 સી.પી.આઈ સાથે નવમો ક્રમ પ્રાપ્ત કરી કોલેજ તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું. આવી સોનેરી સિદ્ધિ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણીસ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણીસ્‍વામી કપિલ જીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર અને એમ. ફાર્મ હેડ ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, તેમજ સ્‍ટાફે એમ.ફાર્મસીના વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી અને ભવિષ્‍યમાં પણ આવી ઉજવળ પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્‍યા હતા.

Related posts

…અને તત્‍કાલિન પ્રશાસક આર.કે.વર્માના કાર્યકાળમાં ઝોનિંગનું કામ પૂર્ણ થયું: દાનહમાં ભૂમિહીનોને ફાળવેલ જમીનોનું ટપોટપ વેચાણ શરૂ થયું

vartmanpravah

વાપીની બિલખાડીમાં ફરી પ્રદૂષિત રંગીન પાણી વહેતુ થયું: જી.પી.સી.બી. દ્વારા પ્રદૂષણ નજર અંદાજ કેમ?

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

Leave a Comment