October 14, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવાપીસેલવાસ

સોમવારે જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્યની થનારી શરૂઆતના સંદર્ભમાં દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાશે ગ્રામસભા

ગ્રામસભામાં દમણવાડા, ઢોલર, ભામટી અને પલહિત ગામ માટે થનારા પુનઃ સર્વેક્ષણથી સંબંધિત જાણકારીઓથી માહિતગાર કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લાની જમીનોના પુનઃ સર્વેક્ષણના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. આ કડીમાં સર્વેક્ષણનું કાર્ય દમણવાડા પંચાયત વિસ્‍તારમાં શરૂ કરવાનું છે. જેની તૈયારી માટે અગામી તા.26મી ડિસેમ્‍બર, 2022ના રોજ દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ગ્રામસભામાં દમણવાડા, ઢોલર, ભામટી અને પલહિત ગામ માટે થનારા પુનઃ સર્વેક્ષણથી સંબંધિત જાણકારીઓથી માહિતગાર કરાશે. જેથી પુનઃ સર્વેક્ષણની કાર્યવાહી નિર્ધારિત સમયસીમામાં પૂર્ણ થઈ શકે.
દમણ જિલ્લામાં પોર્ટુગલ શાસન બાદ પહેલી વખત જમીનનું સર્વેક્ષણ 1970-72ના વર્ષમાં થયું હતું. જે જૂની પધ્‍ધતિઓથી કરાયું હતું. આ કડીમાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાન અંતર્ગત ભારત સરકારના ડિજિટલ ઈન્‍ડિયા અભિયાન હેઠળ ડિજિટલ ઈન્‍ડિયા લેન્‍ડ રેકોર્ડ્‍સનાઅદ્યતનીકરણના કાર્યક્રમ મુજબ આ પુનઃ સર્વેક્ષણ અદ્યતન ટેક્‍નીક અને સાધનોના ઉપયોગથી કરાશે.
અત્રે નોંધનીય છે કે, આ પ્રદેશની જનતાને દરેક સુવિધાઓ અદ્યતન ટેક્‍નીકના માધ્‍યમથી મળે એ માટે પ્રશાસક શ્રી હંમેશા પ્રયાસરત રહે છે. તાજેતરમાં પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારના પરિયારી, જમ્‍પોર, નાયલાપારડી અને દેવાપારડી ગામને પાયલોટ પ્રોજેક્‍ટ અંતર્ગત પુનઃ સર્વેક્ષનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્‍યું છે અને હવે ટેક્‍નીકલ તપાસ પુરી થયા બાદ જી.આઈ.એસ. બેઝ્‍ડ નકશા નાગરિકોના નિરીક્ષણ માટે ઉપલબ્‍ધ કરાયા બાદ સૂચનો અને વાંધાઓનું નિરાકરણ કરી રેકોર્ડ ઓફ રાઈટ્‍સની અધિકૃત અધિકારી દ્વારા ઘોષણા કરાશે.
દમણવાડા પંચાયત વિસ્‍તારના તમામ નાગરિકોને પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે કે જમીનના પુનઃ સર્વેક્ષણના કાર્ય દરમિયાન ઉપસ્‍થિત રહી જરૂરી માહિતી ઉપલબ્‍ધ કરાવી આ કાર્યમાં સહયોગ આપવામાં આવે અને સોમવારે આયોજીત ગ્રામસભામાં હાજર રહી આ સંબંધમાં વિસ્‍તૃત જાણકારી મેળવવા પણ આહ્‌વાન કરાયું છે.

Related posts

વાપી છીરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ દોઢ વર્ષથી પંચાયતમાં ફરક્‍યા સુધ્‍ધા નથી

vartmanpravah

વલસાડ જુજવા ગામે એસ.આર.પી. જવાનની કારે બાઈકને ટક્કર મારી દેતા માતા-પૂત્ર અને જવાન અકસ્‍માતમાં ઘાયલ

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત અગત્‍યની મીટિંગ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાઈ

vartmanpravah

Leave a Comment