July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: આજે સેલવાસ નગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દાનહ અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં અને પાલિકા પ્રમુખના દિશા-નિર્દેશમાં સેલવાસ નગરપાલિકાના દરેક વોર્ડમાં ‘સ્‍વચ્‍છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં પાલિકા વિસ્‍તારની દરેક સરકારી શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન પણ આપવામાં આવ્‍યું હતું. સાથે ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ બાળકોની વિશેષ શાળામાં પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા કેક કાપી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસ ન.પા.ના ચીફ ઓફીસર શ્રી મનોજ પાંડે સહિત પાલિકાના સભ્‍યો અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

દીવમાં માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી મળતા મચ્છીમારીની નવી મોસમનો આજથી વિધિવત આરંભ

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

vartmanpravah

નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્‍યાધુનિક 108 એમ્‍બ્‍યુલન્‍સ

vartmanpravah

Leave a Comment