April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

બ્રેક ફેલ થતાં બસ ઝાડ સાથે અથડાઈઃ 8 મુસાફરો ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક ચૌડા ગામે સેલવાસથી બોરીવલી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસ નંબર જીજે18 ઝેડ 5209નો સવારે 7 વાગ્‍યાના સુમારે અકસ્‍માત થયો હતો. બસની બ્રેક ફેઈલ થતાં તે ઝાડ સાથે ટકરાઈ હતી. આ બસમાં 14 મુસાફરો સવાર હતા. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસને જાણ કરવામા આવી હતી. બસમાં સવાર મુસાફરોમાંથી 3ને ગંભીર ઈજા થતા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલહોસ્‍પિટલમાં સારવાર માટે અને અન્‍ય સામાન્‍ય ઈજા પામેલ મુસાફરોને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં સારવાર અર્થે 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખસેડવામાં આવ્‍યા હતા. આ ઘટનામાં કોઈ જ જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

રામ નવમીને લઈ પારડી પોલીસનું ફલેગ માર્ચ: ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિત મોટી સંખ્‍યામાં પોલીસ સ્‍ટાફ જોડાયા

vartmanpravah

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ સ્‍કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્‍ઝામ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

Leave a Comment