Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

બ્રેક ફેલ થતાં બસ ઝાડ સાથે અથડાઈઃ 8 મુસાફરો ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક ચૌડા ગામે સેલવાસથી બોરીવલી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસ નંબર જીજે18 ઝેડ 5209નો સવારે 7 વાગ્‍યાના સુમારે અકસ્‍માત થયો હતો. બસની બ્રેક ફેઈલ થતાં તે ઝાડ સાથે ટકરાઈ હતી. આ બસમાં 14 મુસાફરો સવાર હતા. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસને જાણ કરવામા આવી હતી. બસમાં સવાર મુસાફરોમાંથી 3ને ગંભીર ઈજા થતા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલહોસ્‍પિટલમાં સારવાર માટે અને અન્‍ય સામાન્‍ય ઈજા પામેલ મુસાફરોને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં સારવાર અર્થે 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખસેડવામાં આવ્‍યા હતા. આ ઘટનામાં કોઈ જ જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

vartmanpravah

વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાની વિધિવત આમ આદમી પાર્ટીમાં એન્‍ટ્રી

vartmanpravah

દાનહના સીલી ખાતે 0.92 હેક્‍ટરની સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણની સાથે બાંધકામ પણ કરાતા પ્રશાસન દ્વારા હટાવાયું

vartmanpravah

ધરમપુર બરૂમાળમાં શ્રી ભાવભાવેશ્વર રાષ્‍ટ્રીય સન્‍માન સમારોહ યોજાયો : અગ્રણી પ્રતિભાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ક્‍વીઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

Leave a Comment