October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

બ્રેક ફેલ થતાં બસ ઝાડ સાથે અથડાઈઃ 8 મુસાફરો ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક ચૌડા ગામે સેલવાસથી બોરીવલી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસ નંબર જીજે18 ઝેડ 5209નો સવારે 7 વાગ્‍યાના સુમારે અકસ્‍માત થયો હતો. બસની બ્રેક ફેઈલ થતાં તે ઝાડ સાથે ટકરાઈ હતી. આ બસમાં 14 મુસાફરો સવાર હતા. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસને જાણ કરવામા આવી હતી. બસમાં સવાર મુસાફરોમાંથી 3ને ગંભીર ઈજા થતા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલહોસ્‍પિટલમાં સારવાર માટે અને અન્‍ય સામાન્‍ય ઈજા પામેલ મુસાફરોને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં સારવાર અર્થે 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખસેડવામાં આવ્‍યા હતા. આ ઘટનામાં કોઈ જ જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

દીવ જિલ્લાના પૂર્વ કલેક્‍ટર અને પ્રદેશમાં વિવિધ જવાબદારી સંભાળી ચુકેલા દાનિક્‍સ અધિકારી પી.એસ.જાનીનું ટૂંકી માંદગી બાદ નિધન

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

બગવાડામાં ચાર મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પારડી પોલીસ

vartmanpravah

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

vartmanpravah

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

Leave a Comment