Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા તા.18મી સપ્‍ટેમ્‍બરને રવિવારના રોજ ઈટાળવા ખાતે આવેલ ક્ષત્રિય સીરવી સમાજની વાડીમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રક્‍તદાન શિબિરમાં 48 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું. જે સુશ્રુષા બ્‍લડ બેંકમાં જમા કરવામાં આવ્‍યું હતું. સુશ્રુષા બ્‍લડ બેંકના સ્‍ટાફ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી બજાવવામાં આવી હતી. રક્‍તદાન શિબિરમાં મોટીસંખ્‍યામાં રક્‍તદાતાઓએ ભાગ લીધો હતો. શિબિરમાં રક્‍તદાતાઓને ગીફટ આપવામાં આવી હતી. જેમાં દાતા શ્રી હેમલભાઈ શાહ, શ્રી વિલેષભાઈ શાહ, શ્રી દર્શનભાઈ શાહ, શ્રી ભરતભાઈ શાહ ઉપસ્‍થિત રહ્યા હતા. રજીસ્‍ટ્રેશન કાઉન્‍ટર પર શ્રી ચિત્રાભાઈ અને શ્રી કેયુરભાઈએ ફરજ બજાવી હતી. એસોસિએશના વેપારી મિત્રોની મહેનત, એસો.ના પ્રમુખ શ્રી વિલેષધભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી રીતેશ શામવાની, સેક્રેટરી શ્રી હેમલ શાહ, ટ્રેઝરર શ્રી સુરેશ ખત્રીના સાથ સહકાર અને પરિશ્રમથી રક્‍તદાન શિબિર સફળ રહી હતી.

Related posts

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

વાપી ચલા રોડ ઉપર વડાપ્રધાન મોદીનો લોકોની ઉત્તેજના વચ્‍ચે મેગા રોડ શૉ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

આજે દમણમાં થયેલ જળપ્રલયના 20 વર્ષ પૂર્ણઃ ઉદ્‌ઘાટનના માંડ 42 દિવસમાં નાની અને મોટી દમણને જોડતો નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો

vartmanpravah

Leave a Comment