Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વ્યકિત વિશેષ જીવનોની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર ભારતમાં 5th સ્પ્ટેમબર શિક્ષકદિનની ઉજવણીમાં The Institute of Company secretaries of India (ICSI) અંતર્ગત શિક્ષક અઠવાડીયુની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે સદર કોલેજમાં ICSI સુરત ચેપ્ટર ઓફિસના સહયોગ અને સેલ્ફ હેલ્પ ફોરમ ઓફ (SHF) કેબીએસ કોલેજ યુનિટ હેઠળ “Empowering Educators” થીમમાં એક દિવસીય, શિક્ષકો માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વાપી અને આજુબાજુના વિસ્તારમાંથી કુલ ૫૬ શિક્ષકોએ ભાગ લીઘો હતો. સેમીનારના મુખ્ય વક્તા તરીકે હાજર રહેનાર C.S. Neelabh Kaushik શિક્ષકો વિઘાર્થીઓને કેવી રીતે પ્રેરીત કરી શકે તેમજ વિધાર્થીઓ આ વ્યાવસાયીક સ્પર્ધાત્મક યુગમાં Company secretaries નો કોર્ષ શા માટે કરવો જોઈએ તેનું મહત્વ સમજાવતા ખુબ જ ઉંડાણથી માહિતી પૂરી પાડી હતી. આ સેમીનારમાં સુરત ચેપ્ટર ઓફિસના ઈન્ચાર્જ શ્રી રત્નેશભાઈ તેમજ મોહસીન અલી પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર સેમીનારનું સંચાલન કોલેજના મદદનીશ પાધ્યાપક  ડો. દિપક સાંકી તેમજ ડો. યતીન વ્યાસે કર્યું હતું.  આ સેમીનાર સફળ રહેતા કોલેજના આચાર્યશ્રી ડો. પૂનમ બી. ચૌહાણે  સેમીનારના મુખ્ય વક્તા, ચેપ્ટર ઓફિસ સુરત તેમજ સંચાલકોનો અને ભાગ લીઘેલ તમામ શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરી વ્યવહારમાં આવનાર તમામ વિધાર્થી મિત્રોને પ્રેરિત કરવા માટે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

Related posts

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા રેતી ખનન કરનાર સામે કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

vartmanpravah

Leave a Comment