January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

આરોપી બે ડ્રાઈવર-બે ક્‍લિનર પોલીસ સ્‍ટેશન લઈ જવાતા 1 ક્‍લીનર કુદી ફરાર : 20.88 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી ટાઉનમાં રહેતા હિંસા નિવારણ સંઘના સંચાલક અને ગુજરાત પ્રાણી કલ્‍યાણ બોર્ડ ગાંધીનગરના કારોબારી સભ્‍ય રાજેશ હસ્‍તીમલ શાહને શનિવારે બાતમી મળી હતી કે પાલનપુરથી બે ટ્રક બકરા ભરી ભિવંડી મુંબઈ તરફ જવા નિકળી છે. હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ બગવાડા ટોલનાકાથી પીછો કરી બન્ને ટ્રકો ગુંજન ફલાય ઓવરબ્રિજ નીચે અઠકાવી પકડી પાડી હતી.
બાતમી બાદ રાજેશ શાહે જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ સાથે બગવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમી વાળી ટ્રક નં.જીજે 24 વી 7023 તથા ટ્રક નં.જીજે 24 વી 5910 ને ગુંજન હાઈવે ફલાય ઓવરબ્રિજ છેડે અટકાવી દીધી હતી. ટ્રકમાં 32+56 મળી કુલ 88 બકરા ક્રરતાપૂર્વક ભરીને ભિવંડી મુંબઈ લઈ જવાતા હતા. પોલીસે બે ડ્રાઈવર અને બે ક્‍લિનરને ઝડપી લઈ પો.સ્‍ટે. લઈ જવાતા હતા ત્‍યારે એક ક્‍લિનર ભાગી છૂટયો હતો. પોલીસે ફરારજાહેર કરી ચાર વિરૂધ્‍ધ ગુનો નોંધી ટ્રક અને બકરા મળીને રૂા.20.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બકરા ભરાવનાર અને લેનારને વોન્‍ટેડ જાહેર કરાયા હતા.

Related posts

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment