Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સોલધરામાં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં વહીવટી તંત્ર દ્વારા કિટ વિતરણમાં સાંજ પડી જતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા મચાવેલો હોબાળો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: તાલુકાના સુરખાઇ ગામે શુક્રવારના રોજ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો રાજ્‍યકક્ષાના વન અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈપટેલની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના લાભાર્થીઓની સિલાઈ મશીન, અલુક મશીન, ટેબલ, વજન કાંટા સહિતની સાતેક જેટલી કિટો એજન્‍સી દ્વારા સોલધરા ગામની સહકારી મંડળીના ગોડાઉન ભાડે રાખી આપવામાં આવી હતી. અને સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીઓને સુરખાઇ થી સોલધરા બોલાવાયા હતા.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં નવસારી, ચીખલી, વાંસદા, ખેરગામ, જલાલપોર સહિતના જિલ્લાભરમાં 370 ની આસપાસ લાભાર્થીઓ બપોરે એકાદ વાગ્‍યાના અરસામા સોલધરા આવી ગયા હતા. જેના બે કલાક બાદ કીટનું વિતરણ શરૂ કરાતા અને પૂરતી વ્‍યવસ્‍થાના અભાવે મંથર ગતિએ વિતરણ ચાલતા મોડી સાંજે પણ કામગીરી પુરી ન થતા કલાકો થી રાહ જોતા લાભાર્થીઓની ધીરજ ખૂટતા અકળાઈને તંત્ર સામે રોષ ઠાલવતા ભારે હોબાળો થવા પામ્‍યો હતો. અને અવ્‍યવસ્‍થા સર્જાતા એક સમયે કાઉન્‍ટર બંધ કરી દેવાની નોબત આવી હતી. જેને પગલે તંત્રએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
સોલધરા ગામે મોડી સાંજ પડતા અંધારું પણ થઈ જતા સ્‍થાનિક આગેવાનો દ્વારા લાઈટની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. અને મોડી સાંજે અધિકારીઓને અક્કલ આવતા ત્રણ કાઉન્‍ટર કરાયા હતા. તંત્રને લાભાર્થીઓની સંખ્‍યા ખબર જ હોય તેવામાં પહેલેથી જ વધારે કાઉન્‍ટર કરવા જોઈતાહતા.
તાલુકામાં પ્રાંત સહિતના ઉચ્‍ચ અધિકારીઓ હોવા છતાં આ પ્રકારની અવ્‍યવસ્‍થા સર્જાતી હોય અને લોકોએ હેરાન પરેશાન થવાની નોબત આવતી હોય તેવામાં ઉચ્‍ચ અધિકારીઓની વહીવટી કુશળતા સામે અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.

Related posts

ખાખી વર્દીનોરૌફ જમાવી મહિલા બુટલેગરો પાસેથી દારૂ અને રોકડ ખંખેરી લેવાની ફરિયાદમાં આખરે જિલ્લા પોલીસ વડાએ પો.કો. રવિન્‍દ્ર રાઠોડને ફરજ મોકૂફ કર્યો

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં અમૃત પર્વ-2023-24 કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક સાંસ્‍કૃતિક અને ખેલ મહોત્‍સવનો શાનદાર પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના મેનેજમેન્‍ટને બરતરફ કરવા પ્રશાસને લીધેલા નિર્ણયનું સ્‍વાગત કરતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment