(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: નવસારી સ્ટેશનરી મર્ચન્ટસ એન્ડ મેન્યુ. એસોસિએશન દ્વારા તા.18મી સપ્ટેમ્બરને રવિવારના રોજ ઈટાળવા ખાતે આવેલ ક્ષત્રિય સીરવી સમાજની વાડીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 48 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જે સુશ્રુષા બ્લડ બેંકમાં જમા કરવામાં આવ્યું હતું. સુશ્રુષા બ્લડ બેંકના સ્ટાફ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી બજાવવામાં આવી હતી. રક્તદાન શિબિરમાં મોટીસંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો. શિબિરમાં રક્તદાતાઓને ગીફટ આપવામાં આવી હતી. જેમાં દાતા શ્રી હેમલભાઈ શાહ, શ્રી વિલેષભાઈ શાહ, શ્રી દર્શનભાઈ શાહ, શ્રી ભરતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. રજીસ્ટ્રેશન કાઉન્ટર પર શ્રી ચિત્રાભાઈ અને શ્રી કેયુરભાઈએ ફરજ બજાવી હતી. એસોસિએશના વેપારી મિત્રોની મહેનત, એસો.ના પ્રમુખ શ્રી વિલેષધભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી રીતેશ શામવાની, સેક્રેટરી શ્રી હેમલ શાહ, ટ્રેઝરર શ્રી સુરેશ ખત્રીના સાથ સહકાર અને પરિશ્રમથી રક્તદાન શિબિર સફળ રહી હતી.