Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: તા.20-09-2022 ને મંગળવારના રોજદીવ જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહના માર્ગદર્શન તેમજ શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાના નેતૃત્ત્વ હેઠળ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં રાજભાષા વિભાગ દીવ દ્વારા હિન્‍દી પખવાડિયાની ઉજવણી નિમિત્તે હિન્‍દી નિબંધ લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં માધ્‍યમિક, ઉચ્‍ચત્તર માધ્‍યમિક તેમજ મહાવિદ્યાલય એમ ત્રણ વિભાગમાં દીવ જિલ્લાની દરેક શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં રાજભાષા વિભાગના વરિષ્ઠ અનુવાદક શ્રી શંકરસિંહ, હિન્‍દી ટાઇપ રાઇટર શ્રી અશોક ભંડારી, શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયા, તેમજ વિવિધ શાળાના હિન્‍દી શિક્ષકો પૈકી આરાધના બહેન સ્‍માર્ટ, મનહરભાઈ, અશોકભાઈ, અમીના બહેન, અનિલભાઈ, બીના બહેન ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment