January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મૃતકોને અંતિમ ધામની નિઃશુલ્‍ક સેવા આપતી મોક્ષધામ રથ સમિતિએ ફરી રથ કાર્યરત કર્યો

6 હજારથી વધુ મૃતકોને અંતિમધામ પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીમાં વર્ષ 2012માં સર્વ ધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિની રચના કરવામાં આવી હતી. નિઃશુલ્‍ક ચાલતી આ સેવા 15 દિવસથી બંધ હતી. ગાંધી જયંતીથી ફરી કાર્યરત કરવામાં આવી છે.મોક્ષરથની મરામત કામગીરી આવી હતી તેથી સેવા બંધ કરાઈ હતી.
સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિના ટ્રસ્‍ટી પ્રમુખ વિઠ્ઠલ કોટડીયાએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, વર્ષ 2012 થી મોક્ષ રથ સેવા અવિરત ચાલી રહી છે. અત્‍યાર સુધી 6000 ઉપરાંત મૃતદેહો અંતિમ ધામ સુધી પહોંચાડાઈ છે. વાપી વિસ્‍તારમાં ચાલતી મોક્ષ રથની સેવા કોરોના કાળમાં પણ અવિરત ચાલુ હતી. મોક્ષ રથના સારથી શાંતિભાઈએ એક પણ દિવસની રજા લીધી નથી. મોક્ષ રથની જેને પણ જરૂરીયાત પડે તે માટે હેલ્‍પ લાઈન નં.8140334000 આપવામાં આવ્‍યો છે. અન્‍ય ટ્રસ્‍ટીઓ વી.એસ. કોટડીયા, ભાનુભાઈ કે ચાંગલા, અનિલભાઈ અવિરત સેવા આપી રહ્યા છે.

Related posts

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

વલસાડ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નવા રેશનીંગ કાર્ડ બનાવવાની કામગીરીમાં વેઠ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

Leave a Comment